દીપા દાસમુંશી કરશે કેબિનેટમાં એન્ટ્રી

પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રિયરંજન દાસમુંશીના પત્નીએ એક બંગાળી ટીવી ચેનલને જણાવ્યું છે,'' મને પ્રધાનમંત્રી તરફથી ફોન કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે રવિવારે 11.30 વાગ્યે નવા મંત્રાલયની રચના કરવામાં આવશે, જેમાં તમારો સમાવેશ કરવામાં આવશે, આ વાતથી હું ઘણી જ ખુશ છું અને મારા પ્રયત્નો રહેશે કે એક મત્રી તરીકેની મારી જવાબદારીઓને નિભાવું.''
તેમણે વધુમાં કહ્યું કે, તેમને કયું ખાતું સોંપવામાં આવશે તે અંગે તેમને માહિતી નથી. તેમણે કહ્યું કે, તેમને એ સમયે પ્રધાનમંત્રીનો ફોન આવ્યો હતો જ્યારે તે તેમના પતિને જોવા માટે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. અત્રે એ વાત નોંધનીય છે કે, દીપા અને પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ માટેની જમીનને લઇને તણખા ઝર્યા હતા.












Click it and Unblock the Notifications
