એ બેખબર, તેરી જીત સે મેરી હાર કે ચર્ચે જ્યાદા હે, જુઓ હારેલા ધારાસભ્યોનો શાયરાના અદાજ
Narottam Mishra: મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઇ છે. જોકે, ભાજપના કદાવર નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની દતિયા બેઠક પર હાર્યા બાદ એક અલગ અંદાજમાં જ જોવા મળી રહ્યા છે. નરોત્તમ મિશ્રાએ ભોપાલ જતા સમયે ટ્રેનમાં શાયરાયા અંદાજમાં જણાવ્યું હતું કે, એટલું પણ ન અભિમાન કર પોતાની જીત પર, એ બેખબર તારી જીત કરતા મારી હારની ચર્ચા વધારે છે.
અત્રે નોંધનીય બાબત છે કે, 2023ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. જ્યાં ભાજપે મધ્ય પ્રદેશમાં જંગી બહુમતી મેળવીને સૌને ચોંકાવી દીધા છે, ત્યાં જ દતિયામાંથી ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની હારથી પણ બધાને આશ્ચર્ય થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દતિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ નરોત્તમ મિશ્રા ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ વધારવા સતત કવિતા સંભળાવતા જોવા મળે છે. આ પહેલા નરોત્તમ મિશ્રાએ દતિયામાં કાર્યકરોને જણાવ્યું હતું કે, હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું. સરકાર તમારી છે, પડકાર પણ
નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, તમારો છે અને જરૂરિયાત પણ તમારી છે. કોઈ ભ્રમમાં ન રહો, દરિયાની ઓટ જોઇને કિનારે ઘર ન બનાવો. હું પાછો આવીશ. ઉલ્લેખનીય છે કે, નરોત્તમ મિશ્રાએ સરકારના મુશ્કેલીનિવારકની ભૂમિકા ભજવી હતી.
અત્રે નોંધનીય બાબત છે કે, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ શિવરાજ સરકારમાં હંમેશા મુશ્કેલીનિવારકની ભૂમિકા ભજવી છે. ગૃહની અંદર હોય કે રસ્તા પર, તેઓ હંમેશા વિપક્ષ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેમણે રાષ્ટ્રીય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધી કોંગ્રેસ સરકારના વરિષ્ઠ નેતાઓના નિવેદનો પર પલટવાર કર્યો હતો.
સરકારના પ્રવક્તા તરીકે તેમણે દરેક મુદ્દા પર સરકારનો પક્ષ ગંભીરતાથી રજૂ કર્યો અને વિપક્ષને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. ગૃહમાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત હોય કે વિપક્ષના આક્ષેપો, તેઓ હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા હતા.
દતિયા બેઠકનું પરિણામ - કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભારતીને આ વખતની ચૂંટણીમાં 88,977 મત મળ્યા, જ્યારે ભાજપના દિગ્ગજ નેતા નરોત્તમ મિશ્રાને 81,235 મત મળ્યા હતો. આવી સ્થિતિમાં કોંગ્રેસે આ સીટ માત્ર 7742 વોટથી જીતી હતી. અગાઉ, 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નરોત્તમ મિશ્રાએ કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીને માત્ર 2,656 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
पूर्व मंत्री डॉ नरोत्तम #मिश्रा का भोपाल जाते समय ट्रेन से कार्यकर्ताओं को सम्बोधन। शायराना अंदाज में कहा इतना भी गुमान ना कर अपनी जीत पर ये वेखबर, तेरी जीत से ज्यादा चर्चे मेरी हार के हैं। pic.twitter.com/izdKCp2gqP
— Laxmi Narayan Malviya (@LNMalviya6) December 5, 2023
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
