સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન - હું નેહરુના ઈરાદા પર સવાલ નહીં ઉઠાવું, નીતિ ખરાબ હોય શકે છે, ઈરાદો નહીં
રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારના રોજ કારગિલ વિજય દિવસના અવસર પર જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોની વચ્ચે પહોંચ્યા હતા.
શ્રીનગર, 24 જુલાઈ : રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારના રોજ કારગિલ વિજય દિવસના અવસર પર જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોની વચ્ચે પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમને સંબોધતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, આજે આપણે દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને યાદ કરી રહ્યા છીએ. આપણી સેનાએ હંમેશા દેશ માટે આ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. 1999 ના યુદ્ધમાં આપણા ઘણા બહાદુર સૈનિકોએ પોતાનો જીવ આપ્યો, હું તેમને સલામ કરું છું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હું ચીનને લઈને પંડિત નેહરુની ટીકા નહીં કરું.

ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંનો એક છે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 1962માં ચીને લદ્દાખમાં આપણા વિસ્તાર પર કબ્જો જમાવ્યો હતો, તે સમયેપંડિત નેહરુ આપણા દેશના વડાપ્રધાન હતા. હું તેમના ઇરાદા પર પ્રશ્ન નહીં કરું. ઈરાદા સારા હોય શકે છે, પરંતુ આ નીતિઓને લાગુ પડતુંનથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું પણ એક ખાસ રાજકીય પક્ષમાંથી આવું છું, પરંતુ હું ભારતના કોઈપણ વડાપ્રધાનની ટીકા કરવા માંગતોનથી. જોકે, આજનું ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંનો એક છે.

પાક અધિકૃત કાશ્મીર ભારતનો એક ભાગ છે
POK પર, રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતની સંસદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પાકઅધિકૃત કાશ્મીર ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. એવું કેવી રીતે બની શકે કે, બાબા અમરનાથ શિવના રૂપમાં અહીં આપણી સાથે છેઅને માતા શારદા શક્તિ સ્વરૂપા એલઓસીની પાર છે.
આપહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કારગિલ દિવસ નિમિત્તે જમ્મુમાં ફરજ દરમિયાનજીવ ગુમાવનારા સુરક્ષા જવાનોના પરિવારજનોને મળ્યા હતા.
|
'દુશ્મનોની યોજના નિષ્ફળ'
આઝાદી બાદથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો આ આખો વિસ્તાર 'મેઈન વોર થિયેટર' બનીને રહ્યો છે. આઝાદી પછીથી, આખો વિસ્તારદુશ્મનોની નજર હેઠળ હતો, પરંતુ ભારતીય દળોએ તેમની બહાદુરી અને બલિદાનના પરિણામે દુશ્મનોની યોજનાઓને નિષ્ફળ બનાવી હતી.
ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને જાળવવામાં આપણી સેનાએ આપેલા યોગદાનને ભારત ક્યારેય ભૂલી શકે તેમ નથી અનેદેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ સૈનિકોની યાદમાં હું નમન કરું છું.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
