દિલ્હીઃ એક ઘરમાંથી 5 મૃતદેહ મળતાં હાહાકાર, 4-5 દિવસ જૂની છે લાશ
દિલ્હીઃ એક ઘરમાંથી 5 મૃતદેહ મળતાં હાહાકાર, 4-5 દિવસ જૂની છે લાશ
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં બુધવારે બપોરે એક ઘરમાંથી 5 શવ મળી આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સૂચના મળતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને કબ્જામાં લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. શરૂઆતી તપાસમાં પોલીસ આત્મહત્યાની આશંકા જતાવી રહી છે. જાણકારી મુજબ આ મૃતદેહ કેટલાક દિવસ જૂના છે અને તેમની હાલત પણ અતિ ખરાબ છે. પોલીસે જણાવ્યું કે પતિ-પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ છે. પોલીસનું કહેવું છે કે બાળકોની ઉંમર 18,16 અને 12 વર્ષની આસપાસ છે. શરૂઆતી જાણકારી માટે પતિ બેટરી રિક્શા ચલાવતો હતો.

જો આત્મહત્યા કરી હોય તો પણ કયા કારણોસર આખા પરિવારે આ પગલું ભર્યું તે હજી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હજુ સુધી મૃતકોની ઓળખ આપવામાં આવી નથી. વધુ માહિતીનો ઈંતેજાર છે.
શરૂઆતી જાણકારી મુજબ 6 મહિના પહેલા જ ઘરમાં રહેવા આવેલા 43 વર્ષીય શંભૂનાથ, તેમની પત્ની સુનીતા, દીકરો શિવમ અને સચિન તથા દીકરી કોમના મૃતદેહ મળ્યા છે. પોલીસને સવારે 11.30 વાગ્યે પાડોસીઓએ ફોન કર્યો હતો. તેમની ફરિયાદ હતી કે તેમના ઘરમાંથી કંઈક બદબૂ આવી રહી છે. પછી પોલીસે આવી દરવાજો તોડ્યો. દરવાજો ખુલ્યો તો પોલીસ અને ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા. ત્યાં એક નહિ પૂરી પાંચ લાશ હતી. મળેલી જાણકારી મુજબ મૃતદેહ સડી ચૂક્યા હતા.












Click it and Unblock the Notifications
