CM કેજરીવાલને તિહાર જેલમાં પહેલી વાર અપાયુ ઈન્સ્યુલીન, AAPનો દાવો - 320ને પાર હતુ શુગર લેવલ
Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં પહેલીવાર ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. AAPનો દાવો છે કે સીએમ કેજરીવાલનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું છે. તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર સીએમ કેજરીવાલનું શુગર લેવલ 217 હતું.
તિહાર જેલના એક અધિકારીના જણાવ્યા અનુસાર, "ગઈકાલે (22 એપ્રિલ) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં લો-ડોઝ ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. ગઈકાલે તેમનું શુગર લેવલ 217 હતું, AIIMSની ટીમે કહ્યું હતું કે જો લેવલ 200ને પાર કરે તો તેમને ઓછી માત્રામાં ઈન્સ્યુલિન આપવામાં આવી શકે છે.''

આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘણા દિવસોના સંઘર્ષ બાદ તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે. AAPએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આખરે, ભાજપ અને તેનું જેલ પ્રશાસન હોશમાં આવ્યું અને જેલમાં સીએમ કેજરીવાલને ઇન્સ્યુલિન આપ્યું. સીએમ કેજરીવાલનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું હતું. ભગવાન હનુમાનજીના આશીર્વાદ અને દિલ્હીના લોકોના સંઘર્ષને કારણે જ આ શક્ય બન્યું છે. અમે અમારા મુખ્યમંત્રી સુધી ઇન્સ્યુલિન પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.''
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
