Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CM કેજરીવાલને તિહાર જેલમાં પહેલી વાર અપાયુ ઈન્સ્યુલીન, AAPનો દાવો - 320ને પાર હતુ શુગર લેવલ

Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં પહેલીવાર ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. AAPનો દાવો છે કે સીએમ કેજરીવાલનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું છે. તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર સીએમ કેજરીવાલનું શુગર લેવલ 217 હતું.

તિહાર જેલના એક અધિકારીના જણાવ્યા અનુસાર, "ગઈકાલે (22 એપ્રિલ) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં લો-ડોઝ ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. ગઈકાલે તેમનું શુગર લેવલ 217 હતું, AIIMSની ટીમે કહ્યું હતું કે જો લેવલ 200ને પાર કરે તો તેમને ઓછી માત્રામાં ઈન્સ્યુલિન આપવામાં આવી શકે છે.''

Arvind Kejriwal

આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘણા દિવસોના સંઘર્ષ બાદ તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે. AAPએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આખરે, ભાજપ અને તેનું જેલ પ્રશાસન હોશમાં આવ્યું અને જેલમાં સીએમ કેજરીવાલને ઇન્સ્યુલિન આપ્યું. સીએમ કેજરીવાલનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું હતું. ભગવાન હનુમાનજીના આશીર્વાદ અને દિલ્હીના લોકોના સંઘર્ષને કારણે જ આ શક્ય બન્યું છે. અમે અમારા મુખ્યમંત્રી સુધી ઇન્સ્યુલિન પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.''

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X