કેજરીવાલના આદેશ પર મુકેશ અંબાણી, મોઇલી, દેવરા વિરુધ્ધ FIR
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નેચરલ ગેસમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવતા દેશના પ્રેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી, પૂર્વ કોર્પોરેટ અફેયર્સ મિનિસ્ટર મુરલી દેવરા, રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, હાઇડ્રોકાર્બન વિભાગના ડીજી વી.કે સિબ્બલની વિરુધ્ધ તત્કાલિક એફઆઇઆર નોંધાવવાના આદેશ આપવામાં આવ્યા છે.
કેજરીવાલે આ આદેશ પૂર્વ કેબિનેટ સેક્રેટરી ટીએસઆર સુબ્રમણ્યમ, પૂર્વ એડમિરલ તલિયાની, એક્સ્પેડિચર સેક્રેટરી ઇએસ શર્મા અને સીનિયર એડવોકેટ કામિની જયસવાલની ફરિયાદના આધારે આપ્યા છે.

મોંઘવારીનું વાવાઝોડું
પહેલી એપ્રિલથી જો ગેસના ભાવ 8 ડોલર થઇ જાય છે તો, જનતાનું જીવવાનું દુષવાર થઇ જશે. સીએનજીના ભાવમાં વધારો થશે અને આવું થવાથી ટ્રાંસપોર્ટના ભાવમાં વધારો થશે. વીજળીના ભાવમાં વધારો થશે, આનાથી જ ખાદ બને છે, તો કૃષિમાં પણ ફર્ક પડશે. નેચરલ ગેસના ભાવ આઠ ડોલર થવાથી રિલાયંસને 54 હજાર પ્રતિ વર્ષ ફાયદો થશે. જ્યારે દેશને નુકસાન થશે. ગેસના ભાવ વધવાથી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચશે.












Click it and Unblock the Notifications
