દિલ્હીથી દોહા જતી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા કરાંચી ડાયવર્ટ કરાઈ!
સોમવારે દિલ્હીથી દોહા જતી કતાર એરવેઝની ફ્લાઈટમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈન્સના જણાવ્યા અનુસાર ફ્લાઈટમાં 100થી વધુ મુસાફરો હતા.
નવી દિલ્હી, 21 માર્ચ : સોમવારે દિલ્હીથી દોહા જતી કતાર એરવેઝની ફ્લાઈટમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈન્સના જણાવ્યા અનુસાર ફ્લાઈટમાં 100થી વધુ મુસાફરો હતા. હાલ વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે.

કતાર એરવેઝના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ QR579 21 માર્ચે દિલ્હીથી દોહા જઈ રહી હતી. હવામાં જ તેના કાર્ગો હોલ્ડમાં ધુમાડાના ચિહ્નો દેખાઈ રહ્યા હતા, ત્યારબાદ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બાદમાં એર ટ્રાફિક કંટ્રોલે પ્લેનને કરાચી એરપોર્ટ તરફ વાળ્યું હતું. અત્યારે તો પ્લેન સુરક્ષિત રીતે ત્યાં લેન્ડ થયું છે. થોડી જ વારમાં ઈમરજન્સી સેવાઓ પણ ત્યાં પહોંચી ગઈ અને તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા છે.
એરલાઈને વધુમાં કહ્યું કે આ મામલે તેમના તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય મુસાફરોને દોહા લઈ જવા માટે બીજા પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરલાઈને મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી ન થાય.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
