પતિએ પત્નીના 7 ટુકડા કર્યા, ઠેકાણે લગાવી લાશ, પરંતુ...
દેશની રાજધાની દિલ્હીમાં પરણિત યુગલના જીવનમાં ચાલી રહેલા કંકાસનો અંત ખુબ જ દર્દનાક આવ્યો છે. દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
દેશની રાજધાની દિલ્હીમાં પરણિત યુગલના જીવનમાં ચાલી રહેલા કંકાસનો અંત ખુબ જ દર્દનાક આવ્યો છે. દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરીને તેની લાશના સાત ટુકડા કર્યા. આરોપી પતિ અને તેના બે ભાઈઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. સ્થાયી નોકરી નહીં હોવાને કારણે પત્ની ઘ્વારા થતું અપમાન અને ટોન્ટ પતિ સહન કરી શક્યો નહીં અને તેને પોતાની પત્નીની હત્યા કરી નાખી.
પોલીસે પોતાની જ પત્નીની હત્યા કરવાના આરોપમાં સાજીદ અલી અન્સારી નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. સાજિદના બે ભાઈઓ પણ હત્યાના ગુનામાં શામિલ હોવાની શંકામાં પકડી લેવામાં આવ્યા છે. મળતી ખબર અનુસાર સાજીદ અલી અન્સારી ઘ્વારા પોતાની પત્નીની હત્યા કરીને પોતાના ભાઈઓ સાથે મળીને પહેલા લાશના ટુકડા કર્યા. ત્યારપછી લાશના ટુકડા બોક્સ નાખીને તેને ઠેકાણે લગાવી દીધા.
દિલ્હી પોલીસને 21 જૂને સરિતા વિહાર વિસ્તારમાં એક લાશ મળી આવી. આ લાશ એક બોક્સમાં બંધ હતી. ઘણા ટુકડાઓમાં મળેલી આ લાશ એક મહિલાની હતી. આ સનસની ઘટના પછી આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો. પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી. પરંતુ મહિલાની ઓળખ કરવી પોલીસ માટે મોટો પડકાર હતો. ઘણા ગાયબ થયેલા લોકોની માહિતી ચેક કર્યા પછી પણ પોલીસના હાથે કઈ પણ લાગ્યું ના હતું.