દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે પોલીસની કમાન્ડો ટીમ પર ફાયરિંગ
અક્ષરધામ મંદિર નજીક પોલીસની ટીમ પર ચાર અજાણ્યા સશસ્ત્ર લૂંટારૂઓએ ગોળીબાર કર્યો હતો.
અક્ષરધામ મંદિર નજીક પોલીસની ટીમ પર ચાર અજાણ્યા સશસ્ત્ર લૂંટારૂઓએ ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કરનારા એક ફોર વ્હીલરથી આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે બદમાશોના વાહનને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ પોલીસ ટીમમાં ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ પછી પોલીસે પણ પલટવાર કર્યો હતો જેના પછી બદમાશો ગીતા કોલોની તરફ ભાગ્યા હતા. આ ઘટનામાં કોઈ પોલીસ કર્મચારીને કોઈ નુકસાન થયું નથી.
આપને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆરમાં બદમાશો અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો આવતા રહે છે. શુક્રવારે, દિલ્હીના દ્વારકાના જાફરપુર કલા વિસ્તારમાં પોલીસ અને બદમાશો વચ્ચેના એન્કાઉન્ટરમાં ત્રણ લૂંટારૂઓની ધરપકડ કરવામાં આવી હતી. આ એન્કાઉન્ટરમાં નંદુ ગેંગના એક બદમાશને ગોળી પણ વાગી હતી.
#Visuals from Delhi: 4 unidentified assailants, in a four-wheeler, fired at police team near Akshardham temple this morning. The police team had asked them to stop their vehicle when they resorted to firing and later managed to escape. No injuries reported. More details awaited. pic.twitter.com/RC7EIIfP2P
— ANI (@ANI) September 22, 2019
આ પણ વાંચો: દિલ્હી: ચોરીના આરોપમાં મકાનમાલિકે ભાડુઆતની હત્યા કરી