દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે પોલીસની કમાન્ડો ટીમ પર ફાયરિંગ

અક્ષરધામ મંદિર નજીક પોલીસની ટીમ પર ચાર અજાણ્યા સશસ્ત્ર લૂંટારૂઓએ ગોળીબાર કર્યો હતો.

અક્ષરધામ મંદિર નજીક પોલીસની ટીમ પર ચાર અજાણ્યા સશસ્ત્ર લૂંટારૂઓએ ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કરનારા એક ફોર વ્હીલરથી આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે બદમાશોના વાહનને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ પોલીસ ટીમમાં ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ પછી પોલીસે પણ પલટવાર કર્યો હતો જેના પછી બદમાશો ગીતા કોલોની તરફ ભાગ્યા હતા. આ ઘટનામાં કોઈ પોલીસ કર્મચારીને કોઈ નુકસાન થયું નથી.

Firing on police commando

આપને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆરમાં બદમાશો અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો આવતા રહે છે. શુક્રવારે, દિલ્હીના દ્વારકાના જાફરપુર કલા વિસ્તારમાં પોલીસ અને બદમાશો વચ્ચેના એન્કાઉન્ટરમાં ત્રણ લૂંટારૂઓની ધરપકડ કરવામાં આવી હતી. આ એન્કાઉન્ટરમાં નંદુ ગેંગના એક બદમાશને ગોળી પણ વાગી હતી.

આ પણ વાંચો: દિલ્હી: ચોરીના આરોપમાં મકાનમાલિકે ભાડુઆતની હત્યા કરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X