For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામસિંહ આત્મહત્યા કેસમાં શિંદેએ માની બેજવાબદારીની વાત

|
Google Oneindia Gujarati News

shinde
નવી દિલ્હી, 11 માર્ચ: દિલ્હી ગેંગરેપના મુખ્ય આરોપી રામસિંહનો મૃતદેહ આજે સવારે તિહાડ જેલમાં લટકતો મળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું કે હું માનું છું કે સુરક્ષામાં બેજવાબદારી વર્તાઇ છે.

શિંદેએ જણાવ્યું કે રામસિંહના મોતનું કારણ પ્રાથમિક રિપોર્ટમાં આત્મહત્યા બતાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આત્મહત્યા મામલે જે કઇ પણ થયું તે તપાસ રિપોર્ટમાં આવી જશે અને આપણે તેની રાહ જોવી પડશે.

રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ 23 વર્ષીય એક યુવતીની સાથે ચાલતી બસમાં થયેલા સામૂહિક બળાત્કારના મુખ્ય આરોપી રામસિંહે સોમવારે સવારે તિહાડ જેલની કડક સુરક્ષા વચ્ચે એક સેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી. 33 વર્ષીય રામસિંહે પોતાના કપડા અને નાડાની મદદથી સવારે પાંચ વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.

English summary
Delhi gang-rape accused Ram Singh's death a security lapse: Shinde
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X