રામસિંહ આત્મહત્યા કેસમાં શિંદેએ માની બેજવાબદારીની વાત

શિંદેએ જણાવ્યું કે રામસિંહના મોતનું કારણ પ્રાથમિક રિપોર્ટમાં આત્મહત્યા બતાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આત્મહત્યા મામલે જે કઇ પણ થયું તે તપાસ રિપોર્ટમાં આવી જશે અને આપણે તેની રાહ જોવી પડશે.
રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ 23 વર્ષીય એક યુવતીની સાથે ચાલતી બસમાં થયેલા સામૂહિક બળાત્કારના મુખ્ય આરોપી રામસિંહે સોમવારે સવારે તિહાડ જેલની કડક સુરક્ષા વચ્ચે એક સેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી. 33 વર્ષીય રામસિંહે પોતાના કપડા અને નાડાની મદદથી સવારે પાંચ વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.












Click it and Unblock the Notifications
