દિલ્હીમાં પાણીના ભાવે મળશે પાણી, 1લીથી અમલ
નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો કે તેઓ જો સત્તામાં આવશે તો દિલ્હીવાસીઓને મફતમાં પાણી આપશે. દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના દ્વારા આપવામાં આવેલું આ વચન આજે પૂરું કરવામાં આવ્યું છે. 1લી જાન્યુઆરી 2014થી દિલ્હીવાસીઓને ત્રણ મહિના માટે મફત પાણી આપવામાં આવશે. આ અંગેનો નિર્ણય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમમ જો નક્કી કરવામાં આવેલા પાણીના વપરાશ કરતા વધુ પાણીનો વપરાશ કરવામા આવશે તો જેટલા પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનું બિલ ભરવું પડશે.
નોંધનીય છે કે, 102 ડિગ્રી તાવ હોવાના કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઓફીસે જઇ શક્યા નહોતા. જેના કારણે એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે આજે દિલ્હીને મફત પાણી આપવાનું વચન પૂર્ણ નહીં થાય, પરંતુ તેમણે ઘરે બેઠક યોજીને દિલ્હીની પાણીની સમસ્યાને હલ કરી હતી.