ખાનગી સ્કૂલોના લઘુમતી વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રિફંડ ઝડપથી આપવાનો દિલ્લી સરકારનો આદેશ
દિલ્લી સરકારે આદેશ જાહેર કરીને બધી ખાનગી સ્કૂલોને લઘુમતી છાત્રોની ટ્યુશન ફી રીફંડ માટે ઑનલાઈન વેરિફિકેશન પ્રક્રિયામાં વેગ લાવવા માટે કહ્યુ છે.
નવી દિલ્લીઃ દિલ્લી સરકારે આદેશ જાહેર કરીને બધી ખાનગી સ્કૂલોને લઘુમતી છાત્રોની ટ્યુશન ફી રીફંડ માટે ઑનલાઈન વેરિફિકેશન પ્રક્રિયામાં વેગ લાવવા માટે કહ્યુ છે. 12 મેના રોજ જાહેર કરેલા આદેશમાં બધી ખાનગી સ્કૂલોને જરુરી વિવરણ સાથે ઈ-ડિસ્ટ્રીક્ટ પોર્ટલને અપડેટ કરવા માટે કહેવામાં આવ્યુ છે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે સ્કૂલની નિષ્ક્રિયતા લાભાર્થી છાત્રોને યોજના હેઠળ સમયે ચૂકવણી અંગે દિલ્લી સરકારના પ્લાન પર પ્રતિકૂળ પ્રભાવ પાડી રહી છે.

દિલ્હી સરકારે તમામ DDEને ખાતરી કરવા કહ્યુ છે કે વર્ષ 2020-21 અને 2021-22 માટે ધોરણ 1થી 12ના લઘુમતી વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફીના રિફંડ માટે રાજ્ય ભંડોળવાળી યોજના માટેની અરજીઓની ઓનલાઈન ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. આ સંબંધમાં દિલ્હી શિક્ષણ નિદેશાલય, દિલ્હી DoE દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.
દિલ્હીની ખાનગી શાળાઓને નિર્ધારિત તારીખ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આમ કરવામાં નિષ્ફળતા પર સરકારે શાળાઓ પર તકેદારી કાર્યવાહી કરવાનુ કહ્યુ છે. પરિપત્રમાં DDE (ઝોન)ને 'સંબંધિત શાળાઓ પાસેથી પ્રમાણપત્ર લેવા' કહેવામાં આવ્યુ છે. યોજના માર્ગદર્શિકા મુજબ ઑનલાઇન ચકાસણી કરવામાં આવી છે અને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યુ છે જેમાં લખ્યુ છે કે તેઓએ ઝોનલમાં અરજીની ચકાસણી પણ કરી છે.
અધિકારીઓને શાળાના પ્રમાણપત્રો હાર્ડ કોપીમાં જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. દિલ્લી સરકારની યોજના હેઠળ નિર્ધારિત માનદંડોને પૂરા કરતા બધા ધોરણ 1થી 12 સુધીના લઘુમતી, SC, ST અને OBC વિદ્યાર્થીઓની ટ્યુશન ફીની ભરપાઈની ખાતરી આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા પરિવારોના બાળકોને સસ્તું શિક્ષણ આપવાનો છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
