RBI ની ભલામણોને આધારે નોટબંધી લાગુ કરાઈ હતી-કેન્દ્ર સરકાર
નોટબંધીને લઈને હજુ પણ વિવાદો થમવાનું નામ નથી લઈ રહ્યા. લાખો લોકોને લાઈનમાં ઉભા કરી દેનારી નોટબંધીને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે નોટબંધી માટે આરબીઆઈની ભલામણોને જવાબદાર ગણાવી છે.
નવી દિલ્હી : નોટબંધીને લઈને હજુ પણ વિવાદો થમવાનું નામ નથી લઈ રહ્યા. લાખો લોકોને લાઈનમાં ઉભા કરી દેનારી નોટબંધીને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે નોટબંધી માટે આરબીઆઈની ભલામણોને જવાબદાર ગણાવી છે.

સુપ્રીમ કોર્ટમાં નોટબંધીનો બચાવ કરતા કેન્દ્ર સરકારે હલફનામું દાખલ કર્યુ છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, કરચોરી રોકવા અને કાળાં નાણાંને અંકુશમાં લેવા આ એક સારી રીતે વિચારેલી યોજના હતી. તેનો હેતુ નકલી નોટોની સમસ્યાનો સામનો કરવાનો અને આતંકવાદીઓના ફંડિંગને રોકવાનો હતો.
સરકારે કહ્યું છે કે, રિઝર્વ બેંક દ્વારા નોટબંધી માટે ભલામણ કરવામાં આવી હતી. ઘણી ચર્ચા અને તૈયારી બાદ તેનો અમલ કરવામાં આવ્યો હતો. 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી લોકોને ચલણી નોટોની અછતનો સામનો કરવો પડ્યો હતો.
અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારના આ નિર્ણય વિરૂદ્ધ 30થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. આ અરજીઓમાં કહેવાયુ છે કે, તૈયારી વિના આ યોજના અમલમાં મુકવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ યોજના માત્ર નિયમો અને કાયદાઓને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવી નથી, પરંતુ તેનાથી લોકોના બંધારણીય અધિકારોનું પણ ઉલ્લંઘન થયું છે.
આ મામલાની સુનાવણી સંવિધાન પીઠ દ્વારા કરવામાં આવી રહી છે. પીઠે સુનાવણી કરતાં સરકારને પૂછ્યું હતું કે નોટબંધી શા માટે લાગુ કરવામાં આવી? 500 અને 1000 ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેતા પહેલા શું પ્રક્રિયા અનુસરવામાં આવી હતી? તેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ નિર્ણય આર્થિક અને નાણાકીય નીતિનો એક ભાગ છે. કોર્ટમાં તેની સમીક્ષા ન કરવી જોઈએ.
આ મામલે જવાબ આપતા કેન્દ્ર સરકારે કહ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંક એક્ટ 1934 હેઠળ રિઝર્વ બેંક અને સરકારને કોઈપણ ચલણી નોટ પાછી ખેંચવાના નિર્ણય કરવાનો અધિકાર છે. સરકારે કહ્યું છે કે, નોટબંધીના થોડા સમય બાદ સંસદે પણ સ્પેસિફાઈડ બેંક નોટ્સ એક્ટ 2017 પસાર કર્યો હતો અને તેને મંજૂરી આપી હતી. એવું કહી શકાય નહીં કે નિયમોનું પાલન કર્યા વિના નોટબંધી લાગુ કરવામાં આવી હતી.
સરકારે એવો પણ દાવો કર્યો છે કે, નોટબંધીનો નિર્ણય માત્ર સરકારનો નહોતો. રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી. આ યોજના ઘણા વિચાર કર્યા પછી અમલમાં મુકવામાં આવી હતી અને તે પહેલા ઘણી તૈયારી કરવામાં આવી હતી. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ 24 નવેમ્બરે સુનાવણી કરશે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
