DMKના મંત્રીઓને કોંગ્રેસના 'સરદાર'ને ધર્યા રાજીનામા

manmohan-sad
નવી દિલ્હી, 20 માર્ચ: સત્તારૂઢ યુપીએ સરકાર સાથે છેડો ફાડ્યાના એક દિવસ બાદ ડીએમકેના પાંચ મંત્રીઓએ બુધવારે સરકારમાંથી પોતાના રાજીનામા વડાપ્રધાનને સોંપી દિધા છે. પલાનિમનિકમ, જી ગાંધી સેલ્વન અને એસ જગતરક્ષકને એકસાથે રાજીનામા સોંપી દિધા છે જ્યારે કેન્દ્રિય મંત્રી અલાગિરી અને ડી નેપોલિયનને બાદમાં પોતાના રાજીનામા આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકાઇ તમિળો પર સરકારના નરમ વલણથી નારાજ ડીએમકેએ સત્તારૂઢ યુપીએ સાથે છેડો ફાડી દિધો છે.

શરૂઆતમાં રાજીનામું આપવા માટે ફક્ત ત્રણ ડીએમકેના મંત્રીઓ પહોંચ્યા હતા, અલાગિરી અને નેપોલિયનની ગેરહાજરી પર ડીએમકે નેતા ટી આર બાલૂએ કહ્યું હતું કે તે (અલાગિરી અને નેપોલિયન) પોતાનું રાજીનામું બાદમાં આપશે.

રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ટીઆર બાલૂએ કહ્યું હતું કે વડાપ્રધાને અમારું રાજીનામું સ્વિકારી લીધું છે. બધા જ પાંચ મંત્રીઓએ એકસાથે રાજીનામું કેમ ન આપ્યું એમ પુછવામાં આવતાં તેમને કહ્યું હતું કે પાર્ટીમાં કોઇ મતભેદ નથી. બાકીના બે મંત્રીઓ થોડીવાર પછી પોતાનું રાજીનામું આપશે. એનડીએ સાથે જોડાવવા અંગે પ્રશ્ન પુછવામાં આવતાં બાલૂએ કહ્યું હતું કે આવો કોઇ પ્રશ્ન ઉઠતો નથી. આ પહેલાં ડીએમકે મંત્રીઓએ પોતાનું રાજીનામું સોંપવા માટે વડાપ્રધાન મનમોહન સાથે વાતચીત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકાઇ તમિળોના મુદ્દે ડીએમકેએ મંગળવારે રાત્રે યુપીએ સરકાર સાથે પોતાનો છેડો ફાડી દિધો હતો અને પુનવિચારની કોઇ સંભાવનાની મનાઇ કરી દિધી હતી. કેન્દ્રમાં ડીએમકેના મંત્રીઓએ પોતાનું રાજીનામું સોંપવા માટે બુધવારે વડાપ્રધાન પાસે સમય માંગ્યો હતો અને તેમને 12 વાગ્યાનો સમય આપ્યો હતો. તો બીજી તરફ વડાપ્રધાનને પોતાનું રાજીનામું આપતાં પહેલાં ટી આર બાલૂની અધ્યક્ષતા હેઠળ ડીએમકે નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X