રાજેન્દ્રનગરમાં માર્યા ગયેલા 4 છાત્રો માટે વિકાસ દિવ્યકીર્તિએ કર્યા આ મોટા એલાન, સ્ટુડન્ટ્સે કરી પ્રશંસા
Vikas Divyakirti (Rajinder Nagar incident): દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં UPSC ઉમેદવારોના મૃત્યુ બાદ હવે પ્રખ્યાત UPSC શિક્ષક ડૉ. વિકાસ દિવ્યકીર્તિની કોચિંગ સંસ્થા દ્રષ્ટિ IAS એ એક મોટી જાહેરાત કરી છે. દૃષ્ટિ IAS એ RAU's IAS સ્ટડી સર્કલ કોચિંગ સેન્ટરના ભોંયરામાં મૃત્યુ પામેલા 3 વિદ્યાર્થીઓના પરિવારોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
જુલાઇ 27ના રોજ, જૂના રાજેન્દ્ર નગરમાં ભારે વરસાદ દરમિયાન RAU's IAS સ્ટડી સર્કલ કોચિંગ સેન્ટરની બેઝમેન્ટ લાઇબ્રેરીમાં પાણી ભરાઇ જતાં ત્રણ UPSC ઉમેદવારોના મોત થયા હતા. વિકાસ દિવ્યકિર્તિના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.

હવે દૃષ્ટિ IAS એ કહ્યું છે કે મૃતક શ્રેયા યાદવ (ઉત્તર પ્રદેશ), નિવિન ડાલવિન (કેરળ) અને તાન્યા સોની (તેલંગાણા) ના પરિવારને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત વીજ શોકથી મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારને પણ 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
દ્રષ્ટિ IASના સ્થાપક વિકાસ દિવ્યકીર્તિ દ્વારા જાહેર કરાયેલ એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, "છેલ્લા થોડા દિવસોમાં જૂના રાજેન્દ્ર નગરમાં બે અકસ્માતમાં ચાર તેજસ્વી વિદ્યાર્થીઓના અકાળે મૃત્યુ થયા છે. નીલેશ રાય નામના વિદ્યાર્થીનું પાણી ભરાયેલા રસ્તા પર વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ શ્રેયા યાદવ, તાન્યા સોની અને નિવિન ડાલવિન કોચિંગ સેન્ટરના ભોંયરામાં અચાનક પાણી ભરાઈ જવાનો શિકાર બન્યા હતા. આ ચાર બાળકોના પરિવારો માટે ચોક્કસપણે ખૂબ જ મુશ્કેલ સમય છે. અમે ભારે દુઃખની આ ઘડીમાં તેમની સાથે ઉભા છીએ."
प्रेस विज्ञप्ति
— Drishti IAS (@drishtiias) August 2, 2024
2 अगस्त, 2024
पिछले कुछ दिनों में ओल्ड राजेंद्र नगर में हुई दो दुर्घटनाओं में चार होनहार विद्यार्थियों का असमय निधन हुआ। एक विद्यार्थी नीलेश राय का निधन जलमग्न सड़क पर करेंट लगने से हुआ जबकि तीन विद्यार्थी श्रेया यादव, तान्या सोनी और निविन डाल्विन एक कोचिंग… pic.twitter.com/xKDsV3lAWO
-
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
