Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજેન્દ્રનગરમાં માર્યા ગયેલા 4 છાત્રો માટે વિકાસ દિવ્યકીર્તિએ કર્યા આ મોટા એલાન, સ્ટુડન્ટ્સે કરી પ્રશંસા

Vikas Divyakirti (Rajinder Nagar incident): દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં UPSC ઉમેદવારોના મૃત્યુ બાદ હવે પ્રખ્યાત UPSC શિક્ષક ડૉ. વિકાસ દિવ્યકીર્તિની કોચિંગ સંસ્થા દ્રષ્ટિ IAS એ એક મોટી જાહેરાત કરી છે. દૃષ્ટિ IAS એ RAU's IAS સ્ટડી સર્કલ કોચિંગ સેન્ટરના ભોંયરામાં મૃત્યુ પામેલા 3 વિદ્યાર્થીઓના પરિવારોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

જુલાઇ 27ના રોજ, જૂના રાજેન્દ્ર નગરમાં ભારે વરસાદ દરમિયાન RAU's IAS સ્ટડી સર્કલ કોચિંગ સેન્ટરની બેઝમેન્ટ લાઇબ્રેરીમાં પાણી ભરાઇ જતાં ત્રણ UPSC ઉમેદવારોના મોત થયા હતા. વિકાસ દિવ્યકિર્તિના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.

Vikas Divyakirti

હવે દૃષ્ટિ IAS એ કહ્યું છે કે મૃતક શ્રેયા યાદવ (ઉત્તર પ્રદેશ), નિવિન ડાલવિન (કેરળ) અને તાન્યા સોની (તેલંગાણા) ના પરિવારને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત વીજ શોકથી મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારને પણ 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

દ્રષ્ટિ IASના સ્થાપક વિકાસ દિવ્યકીર્તિ દ્વારા જાહેર કરાયેલ એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, "છેલ્લા થોડા દિવસોમાં જૂના રાજેન્દ્ર નગરમાં બે અકસ્માતમાં ચાર તેજસ્વી વિદ્યાર્થીઓના અકાળે મૃત્યુ થયા છે. નીલેશ રાય નામના વિદ્યાર્થીનું પાણી ભરાયેલા રસ્તા પર વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ શ્રેયા યાદવ, તાન્યા સોની અને નિવિન ડાલવિન કોચિંગ સેન્ટરના ભોંયરામાં અચાનક પાણી ભરાઈ જવાનો શિકાર બન્યા હતા. આ ચાર બાળકોના પરિવારો માટે ચોક્કસપણે ખૂબ જ મુશ્કેલ સમય છે. અમે ભારે દુઃખની આ ઘડીમાં તેમની સાથે ઉભા છીએ."

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X