રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂએ કર્યુ નામાંકન, PM મોદી સહિત ઘણા મુખ્યમંત્રી રહ્યા હાજર
ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે (24 જૂન) સંસદ ભવનમાં પોતાનુ નામાંકન દાખલ કરશે.
નવી દિલ્લીઃ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આજે સંસદ ભવન પહોંચીને પોતાનું નામાંકન ભર્યુ. દ્રૌપદી મુર્મૂ શુક્રવારે, 24 જૂને ઓરિસ્સા ભવનથી પોતાનુ નામાંકન ભરવા માટે સંસદ ભવન પહોંચી ગયા હતા. આ દરમિયાન દ્રૌપદી મુર્મૂએ સંસદ ભવનમાં મહાત્મા ગાંધી, આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પીએમ નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્માઈ, ઉત્તરાખંડના સીએ પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય પ્રધાન વીકે સિંહ સહિત એનડીએના ઘણા મોટા નેતાઓ દ્રૌપદી મુર્મૂના નામાંકનમાં શામેલ થવા માટે સંસદ ભવન પહોંચી ગયા છે.

કહેવામાં આવી રહ્યુ છે કે દ્રૌપદી મુર્મૂ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ મળશે. વાસ્તવમાં રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ થવાની છે. NDAએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે. જ્યારે યશવંત સિન્હાને વિપક્ષ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ શુક્રવારે, 24 જૂને ઓરિસ્સા ભવનથી પોતાનુ નામાંકન દાખલ કરવા સંસદ ભવન પહોંચી ગયા હતા. ભાજપ સાંસદોએ અહીં તેમનુ સ્વાગત કર્યુ હતુ. દ્રૌપદી મુર્મૂનુ નોમિનેશન ભરતા પહેલા ઉત્તરાખંડના સીએમ ધામીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યુ, 'દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવવા એ સાબિત કરે છે કે સમાજમાં ઉભેલા છેલ્લા વ્યક્તિને આગળ લાવવાનુ કામ ભાજપનુ છે.'
વળી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ, 'પહલા અનુસૂચિત સમાજના રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા. 75 વર્ષમાં આટલી મોટી આદિજાતિની કોઈએ કાળજી નહોતી લીધી. વડાપ્રધાને પોતાના કથન અને કાર્યને એક રૂપ આપીને સમાજના નીચલા સ્તરે રહેતા સમાજના લોકોને આજના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. દ્રૌપદી મુર્મૂના નોમિનેશનમાં હાજરી આપવા સંસદ ભવન પહોંચેલા કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યુ કે તે ખૂબ જ નમ્ર મહિલા છે અને વિનમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેઓ સુશિક્ષિત છે અને ધારાસભ્ય અને વહીવટકર્તા તરીકે સક્ષમ છે. મને લાગે છે કે આપણા પીએમ, એનડીએ અને ભાજપે યોગ્ય નિર્ણય લીધો છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીએ કહ્યુ કે વિપક્ષોએ આજે મગરના આંસુ ન વહાવા જોઈએ અને મહિલાઓનુ સન્માન કરવુ જોઈએ કારણ કે આપણી સંસ્કૃતિ મહિલાઓના સન્માનની છે. ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો તેમને ના નહિ પાડે. વિપક્ષોને પ્રાર્થના છે કે તેઓ તેમની નિષ્ફળતા ન બતાવે અને સર્વસંમતિથી દ્રૌપદી મુર્મૂજીને પસંદ કરે.
તમને જણાવી દઈએ કે દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સાના મયુરભંજના આદિવાસી જિલ્લાના રાયરાંગુર ગામના છે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. દ્રૌપદી મુર્મૂ 18 મે 2015થી 12 જુલાઈ 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સાના પ્રથમ મહિલા આદિવાસી નેતા છે જેમને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
#WATCH NDA's Presidential candidate Droupadi Murmu files her nomination today in the presence of PM Modi, Union cabinet ministers & CMs of BJP & NDA-ruled states pic.twitter.com/ennt3naoCB
— ANI (@ANI) June 24, 2022
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
