World Earth Day 2020: પૃથ્વી દિવસના 50 વર્ષ પૂરા, જાણો 22 એપ્રિલે જ કેમ મનાવાય છે આ દિવસ
World Earth Day 2020: પૃથ્વી દિવસના 50 વર્ષ પૂરા, જાણો 22 એપ્રિલે જ કેમ મનાવાય છે આ દિવસ
નવી દિલ્હીઃ દુનિયાભરમાં દર વર્ષે 22 એપ્રિલના દિવસને પૃથ્વી દિવસ (World Earth Day) તરીકે મનાવવામાં આવે છે. પહેલાવીર 1970માં આ દિવસને મનાવવામમાં આવ્યો હતો. પૃથ્વી પર રહેતા જીવ-જંતુઓ, વૃક્ષોને બચાવવા માટે હરેક વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે.
સૌથી પહેલા જુલિયન કોનિગે પૃથ્વી દિવસ અથવા અર્થ ડે શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે વર્ષ 1969માં લોકોને આ શબ્દથી અવગત કરાવ્યા હતા. આ વર્ષે પૃથ્વી દિવસની 50મી વર્ષગાંઠ ચે. આ ખાસ અવસર પર નાસા (NASA)એ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર સ્પેસથી પૃથ્વીની કેટલીક અદ્ભુત તસવીરો લઈ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમમાં વર્ષો પહેલાથી બ્રહ્માંડમાં પૃથ્વી કેવી દેખાય છે તે દર્શાવવામાં આવ્યું છે.

વીડિયો
વીડિયોમમાં રહેલી બધી જ તસવીરો Apollo-8થી લેવામાં આવી છે. આ વીડિયોમાં 1968થી 2020 સુધી પૃથ્વીનું સ્વરૂપ કેવું હતું તે દેખાડવામાં આવ્યું છે. આ વીડિયોને Earthrise નામ આપવામાં આવ્યું છે. અંતરીક્ષથી પૃથ્વી પર બધુ જ દેખાય છે તે દર્શાવવામાં આવ્યું છે.
|
પૃથ્વી દિવસનો ઈતિહાસ
વિશ્વભરમાં પર્યાવરણ પ્રત્યે સમર્થન અને સંરક્ષણ પ્રદર્શિત કરવા માટે દર વર્ષે 22 એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. તેની સ્થાપના અમેરિકી સેનેટર જેરાલ્ડ નેલ્સને 1970માં એક પર્યાવરણ શિક્ષા રૂપે કરી હતી. હાલ પૃથ્વી દિવસને દર વર્ષે 192થી વધુ દેશમાં ઉજવવામાં આવે છે.
સેટેનર નેલ્સને પર્યાવરણને એક રાષ્ટ્રીય એજન્ડામાં જોડવા માટે પહેલા રાષ્ટ્રવ્યાપી પર્યાવરણ વિરોધની પ્રસ્તાવના આપી હતી. મશહૂર ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા એડ્ડી અલબર્ટે પૃથ્વી દિવસના નિર્માણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. માનવામાં આવે છે કે વિશેષ રૂપે 1970 બાદ પૃથ્વી દિવસને અલબર્ટના જન્મદિવસ 22 એપ્રિલે ઉજવાતો શરૂ કરી દેવાયો.

પૃથ્વી દિવસની થીમ શું છે?
આ વર્ષે પૃથ્વી દિવસની થીમ ક્લાઈમેટ એક્શન છે. જળવાયુમાં સતત થઈ રહેલા બદલાવના કારણે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર ખતરો આવી ગયો છે. અર્થ ડે ઓર્ગેનાઈઝેશન મુજબ હવે સમય છે કે દુનિયાભરના તમામ નાગરિક જળવાયુ સંકટથી નિપટવા માટે આગળ આવે અને સાથે કામ કરે કેમ કે આવું ના કરવાના કારણે લોકોના વર્તમાન અને ભવિષ્યમાં આવતી પેઢીઓ માટે એક ખતરનાક ભવિષ્ય તૈયાર થઈ રહ્યું છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
