ભૂકંપના ઝટકાથી ધ્રૂજ્યો અંદમાન ટાપુ, તીવ્રતા 4.5 રિક્ટર સ્કેલ
બુધવારની સવારે દેશના અલગ અલગ હિસ્સામાં ભૂકંપના ઝટકા અનુભવાયા. જો કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી.
બુધવારની સવારે દેશના અલગ અલગ હિસ્સામાં ભૂકંપના ઝટકા અનુભવાયા. જો કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. જાણકારી અનુસાર હિમાચલ પ્રદેશના કાંગડા, મહારાષ્ટ્રના પાલઘર અને અંદમાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. દ્વીપ સમૂહ અંદમાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના તીવ્રતા 4.5 મેગ્નીટ્યુડ માપવામાં આવી છે. બીજી તરફ કાંગડામાં ભૂકંપના ઝટકા લાગતા જ લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. લોકો પોતાના ઘરોમાંથી નીકળીને બહાર આવી ગયા અને કલાકો સુધી પાછા આવવાની હિંમત કરી શક્યા નહિ. વળી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 મેગ્નીટ્યુડ માપવામાં આવી.

આઠ દિવસમાં ત્રણ વાર ભૂકંપ
ભૂકંપના કેન્દ્ર કાંગડા ક્ષેત્રમાં જ સપાટીથી 5 કિલોમીટર નીચે હતુ. તમને જણાવી દઈએ કે હિમાચલમાં ગયા આઠ દિવસમાં ત્રણ વાર ભૂકંપ આવ્યો છે. આ પહેલા 5 ફેબ્રુઆરીએ ચંબા અને મંડીમાં ભૂકંપ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂકંપ માટે હિમાચલ અતિ સંવેદનશીલ ઝોન 4 તેમજ 5માં આવે છે. મંડી, શિમલા અને ચંબા આ ઝોનમાં શામેલ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પાલઘરમાં બુધવારે ભૂકંપના ઝટકા નોંધવામાં આવ્યા.
|
લોકો દહેશતમાં આવી ઘરોમાંથી બહાર નીકળી ગયા
રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 3.1 માપવામાં આવી. હવામાન વિભાગના એક અધિકારીએ મીડિયાને જણાવ્યુ, ‘પાલઘરના ઘણા વિસ્તારોમાં સવારે 10.44 વાગે અમુક સેકન્ડ સુધી ઝટકા નોંધવામાં આવ્યા.' તમને જણાવી દઈએ કે મંગળવારે બંગાળની ખાડીમાં ભૂકંપ આવ્યો હતો જેના ઝટકા તમિલનાડુના અમુક વિસ્તારોમાં પણ અનુભવવામાં આવ્યા હતા. બંગાળની ખાડીમાં ભૂકંપ સવારે 7.02 કલાકે આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપના ઝટકા ચેન્નઈમાં પણ અનુભવાયા હતા. જેના કારણે લોકો દહેશતમાં આવી ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.
|
કેમ આવે છે ભૂકંપ
આ ધરતી મુખ્ય રીતે ચાર સ્તરની બનેલી છે જેને ઈનર કોર, આઉટર કોર, મેન્ટલ અને ક્રસ્ટ કહેવામાં આવે છે. ક્રસ્ટ અને ઉપરના મેન્ટલને લિથોસ્ફેર કહેવામાં આવે છે. આ 50 કિલોમીટરના મોટા સ્તર હોય છે જેમને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. આ ટેક્ટોનિક પ્લેટ્સ પોતાની જગ્યાએથી હલતી રહે છે, ફરતી રહે છે અને ખસતી રહે છે.
આ પ્લેટ્સ લગભગ દર વર્ષે લગભગ 4-5 મિમી સુધી પોતાના સ્થાનથી ખસી જાય છે. આ ક્ષિતિજ અને ઉર્ધ્વાધર, બંને રીતે પોતાની જગ્યાએથી હલી શકે છે. આ ક્રમમાં ક્યારેય કોઈ પ્લેટ બીજી પ્લેટની નજીક આવે તો કોઈ દૂર જતી રહે છે. આ દરમિયાન આ પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય છે. એવામાં જ ભૂકંપ આવે છે અને ધરતી હલી જાય છે. આ પ્લેટ્સ સપાટીથી લગભગ 30-50 કિમી સુધી નીચે રહે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
