Earthquake in Syria: 6.5 ટન મેડિકલ મદદ સાથે IAFનુ એરક્રાફ્ટ સીરિયા રવાના
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ દુનિયાભરમાં તેને મદદ મોકલવામાં આવી રહી છે. ભારત પણ સતત મદદ કરી રહ્યુ છે. આ ક્રમમાં ભારતીય વાયુસેનાનુ વિમાન 6.5 ટન મેડિકલ મદદ સાથે સીરિયા રવાના થયુ છે.
Earthquake in Syria: તુર્કી અને સીરિયામાં શક્તિશાળી ભૂકંપે વિનાશ વેર્યો છે. આખી દુનિયા અહીંના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે. ભારત આ મુશ્કેલીના સમયમાં સતત મદદ પહોંચાડી રહ્યુ છે. અગાઉ રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમને તુર્કી-સીરિયા રવાના કરવામાં આવી હતી. હવે ભારતીય વાયુસેનાનુ વિમાન જીવનરક્ષક દવાઓ અને અન્ય મેડિકલ મદદ લઈને સીરિયા માટે રવાના થયુ છે.

ભારતીય વાયુસેનાનુ વિમાન C130J હર્ક્યુલસ તબીબી ઉપકરણો સાથે ગાઝિયાબાદના હિંડન એરપોર્ટથી સીરિયા માટે રવાના થયુ છે. આ એરક્રાફ્ટમાં 6.5 ટન ઈમરજન્સી મેડિકલ સામાન છે. મંગળવારે રાત્રે વિમાનને રવાના કરવામાં આવ્યુ છે. આ પહેલા સોમવારે વિમાનમાં મેડિકલ સામાનનુ લોડિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ.
આરોગ્ય વિભાગના અધિકારી રાજેશ નાયરે જણાવ્યુ હતુ કે દવાઓ, જીવનરક્ષક દવાઓ અને અન્ય તબીબી સાધનો સાથે વાયુસેનાનુ વિમાન સીરિયા મોકલવામાં આવ્યુ છે, જ્યાં ભૂકંપના વિનાશમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે અને ઘાયલ થયા છે. આ મદદ વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયની મદદથી મોકલવામાં આવી છે.
ઈમરજન્સીના સંજોગોમાં દર્દીઓને અપાતી દવાઓ મોકલવામાં આવી છે. મંત્રાલયની સૂચનાના આધારે દવાઓ એકત્ર કરવામાં આવી છે અને લોડ કરવામાં આવી છે. આ સામગ્રી લગભગ 6.5 ટન છે. આ મદદ અમારા અધિકારીઓ દ્વારા સીરિયામાં વિદેશ મંત્રાલયના અધિકારીઓને સોંપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે સોમવારે સીરિયા અને તુર્કીમાં એક પછી એક સતત ત્રણ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં અનેક મકાનો અને બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ હતી. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં લગભગ 7800 લોકોના મોત થયા છે. તુર્કીમાં લગભગ 5800 લોકોના મોત થયા છે જ્યારે સીરિયામાં 2000 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર તુર્કીમાં 31777 લોકો ઘાયલ થયા છે જ્યારે સીરિયામાં 3849 લોકો ઘાયલ થયા છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
