Earthquake: પંજાબના રુપનગરમાં મંગળવારે મોડી રાતે ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2

Earthquake in Punjab: પંજાબના રૂપનગરમાં મંગળવારે રાતે લગભગ 1.13 વાગે ધરતી ધ્રૂજતી હતી. ભૂકંપના આંચકા અનુભવાતા જ ઘરોમાં સૂતા લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. કેટલાક તો ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા.

નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે પંજાબના રૂપનગરમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની ઉંડાઈ 10 કિમી હતી. લોકો હજુ પણ ગભરાટમાં છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

Earthquake

NCSએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ભૂકંપ લગભગ 1:13 વાગ્યે આવ્યો હતો અને ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મંગળવારે સાંજે 6.52 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.5 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC) અનુસાર, મંગળવારે સાંજે 6.52 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર અયોધ્યાથી 215 કિમી ઉત્તરમાં 10 કિમીની ઊંડાઈએ હતું.

નેપાળના જાજરકોટમાં ગયા સોમવારે ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળે છે. જેમાં 16 જેટલા લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે, આ પહેલા 3 નવેમ્બરે નેપાળમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં લગભગ 153 લોકોના મોત થયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા 6.4 નોંધવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X