જળપ્રલય બાદ ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકા
દેહરાદૂન, 27 જૂન : ઉત્તરાખંડમાં હજી તો જળપ્રલય દ્વારા થયેલી તબાહીમાંથી ઉગરી શકાયું નથી અને બીજી સમસ્યાઓ સામે આવી રહી છે. એક તરફ બચાવકામગીરી તેના અંતિમ ચરણમાં છે અને ખરાબ હવામાનના કારણે તેમાં પણ વિક્ષેપ આવી રહ્યો છે, હજી પણ 1800 જેટલા લોકો ફસાયેલા છે. આ બધાની વચ્ચે ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકાઓના સમાચારે સૌને અચંબામાં નાખી દીધા છે.
ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ગુરુવારે હળવા ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે તે હળવા ઝટકા હતા, પરંતુ આ સમયે રાજ્ય જે રીતે કુદરતનો કહેરમાંથી પસાર થઇ રહ્યું છે તેનાથી ચિંતામાં વધારો થવો સ્વાભાવિક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂરના આજે 13માં દિવસે પણ ઉત્તરાખંડમાં આજે સવાર સુધી 5 હજાર જેટલા લોકો ફસાયેલા હોવાના સમાચાર હતા. જે હવે માત્ર 1800 જ રહ્યા છે, માટે બચાવકામગીરી પૂર્ણ થવાના આરે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
