'જાતિ જનગણના બાદ થશે આર્થિક સર્વેક્ષણ', તેજસ્વી યાદવની જાહેરાત
પટના કોર્ટ દ્વારા બિહારમાં જાતિગત જનગણના કરવાના નીતિસ કુમાર સરકારના નિર્ણયને સાચો ઠેરવ્યો છે. ત્યાર બાદ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ લગાતાર બીજેપી પર હૂમલો કરી રહ્યા છે. તેમણે ઘણી વાર કહ્યુ કે, જાતિગત જનગણનાથી બીજેપી ડરેલી છે. ગુરુવારે તેજસ્વી યાદવે જણાવ્યુ હતુ કે, જાતિગત જનગણના કેમ જરુરી છે. જાતિગત જનગણનાની મહત્વને પણ સમજાવ્યુ હતુ.

તેજસ્વી યાદવે કહ્યુ કે, અણે જાતિ જનગણના નથી ઇચ્છતા આ જાતિ સર્વેક્ષણ છે. જાતિ જનગણના સંવિધાનના અનુસાર કેન્દ્ર સરકારના અધિકારમા આવે છે. આ પહેલા અમને સંખ્યા મળશે. અને વૈજ્ઞાનિક ડાટા મળશે. અમે એક આર્થિક સર્વેક્ષણ પણ કરીશુ. કેમ કે, અમારુ માનવુ છે કે, દરેક વર્ગમાં લોકો ગરીબ છે. અમે ગરીબી ક્યા છે તે જાણવા માગીએ છીએ. અને તેમને લાભ પહોચાડીશુ. જો અમને આર્થિક સ્થિતિની ખબર નહી પડે તો કેવી રીતે નક્કી કરી શકીએ કે, કોને સર્વેક્ષણ મળવુ જોઇએ?
તેજસ્વી યાદવે એ પણ કહ્યુ કે, અમે તેના માટે સડકથી વિધાનસભા સધી સંઘર્ષ કર્યુ છે. જ્યારે હુ વિરોધ પક્ષનો નેતા હતો અમે વિધાનસભામાં પ્રસ્તાવ આપ્યો હતો કે, તમામ દળો સાથે રાખવામાં આવે. સાથે મળીને આ અંગે પીએમ સાથે વાત કરીશુ. અમે ત્યારે વધારે ચિંતિત થઇ ગયા, જ્યારે કેન્દ્ર સરકારે જાતિગત જનગણના સવાલને નંજર અંદાજ કરી દિધો હતો. અમે પ્રધાનમંત્રી મોદીને મળ્યા. પીએમ મોદીએ કઇ ના કર્યુ. ત્યાર બાદ અમે સંસદમાં ફરી એક સવાલ કર્યો, તેને ફગાવી દેવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
