આપ સાંસદ સંજીવ અરોરાના ઘરમાં ઈડીની રેડ, મનિષ સિસોદિયાએ PM મોદી વિશે કહીં આ વાત

ED raids: પ્રવર્તન નિદેશાલય દ્વારા સોમવારના રોજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરા સહિત ઘણા લોકોના ઘરે રેડ કરવામાં આવી છે.

ઈડીના સત્તાવાર સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ કાર્યવાહી એક જમીન કૌભાંડ મામલે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે તપાસ કરવા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હરિયાણાના ગુરુગ્રામમાં 61 વર્ષીય પંજાબ સાંસદના ઘર અને લુધિયાણામાં કેટલાક અન્ય લોકો સાથે જોડાયેલા પરિસર પર રેડ કરવામાં આવી રહ્યા છે.

આની સામે અવાજ ઉઠાવતા આમ આદમી પાર્ટીએ EDને કેન્દ્ર સરકારનો પોપટ ગણાવ્યો છે.

ED raids

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, તેમના સાંસદ, જેઓ એક બિઝનેસમેન પણ છે, વિરુદ્ધ રેડ તેમની પાર્ટીને તોડવાનો પ્રયાસ છે.

મનિષ સિસોદિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, આજે ફરી મોદીજીએ પોપટની મૈનાને છૂટી કરી દીધી છે.

આ સાથે મનિષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, AAPના સભ્યો ન તો અટકશે, ન તો વેચાઈ જશે, ન ડરશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને તે જમીન છેતરપિંડીના કેસ સાથે જોડાયેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X