ચાંદ જોઈને જ કેમ મનાવવામાં આવે છે ઈદ
ઈદનો પર્વ મનાવતા પહેલા લોકો ઈદના ચાંદની આતુરતાપૂર્વક રાહ જુએ છે કારણકે જો ચાંદ દેખાય તો જ ઈદ મનાવવામાં આવે છે.
આજે સમગ્ર દેશમાં આનંદ ઉલ્લાસ સાથે ઈદનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. લોકો નવા કપડાં પહેરીને એકબીજાને મળવા અને ઈદની શુભેચ્છા પાઠવવા એકબીજાના ઘરે જઈ રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દરેક મુસ્લિમ પરિવારોમાં ઈદની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. બજારોમાં ઈદનો સામાન ખરીદવા અને વેચવા માટે બજારોમાં ભીડ જામ થતી હતી. ઈદનો પર્વ મનાવતા પહેલા લોકો ઈદના ચાંદની આતુરતાપૂર્વક રાહ જુએ છે કારણકે જો ચાંદ દેખાય તો જ ઈદ મનાવવામાં આવે છે.

શવ્વાલ ઉલ-મુકરર્મ
વાસ્તવમાં ઈદ-ઉલ-ફિત્ર હિજરી કેલેન્ડર (હિજરી સંવત) ના દસમાં મહિના શવ્વાલ (શવ્વાલ ઉલ-મુકરર્મ) ની પહેલી તારીખે મનાવવામાં આવે છે. હિજરી કેલેન્ડર ઈસ્લામમાં ઘણુ પવિત્ર માનવામાં આવે છે કારણકે આની સાથે ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. આ એ દિવસે શરૂ થાય છે જ્યારે હજરત મોહમ્મદ સાહેબે મક્કા શહેરથી મદીના તરફ પ્રવાસ કર્યો હતો.

હિજરી સંવત ચાંદ પર આધારિત છે...
હિજરી સંવત ચાંદ પર આધારિત કેલેન્ડર છે. આ સંવતના બાકીના અન્ય મહિનાની જેમ શવ્વાલ મહિનો પણ ‘નવો ચાંદ' જોઈને શરૂ થાય છે. જો આ મહિનાનો પહેલો ચાંદ ન દેખાય તો માનવામાં આવે છે કે રમજાન મહિનો હજુ પૂરો થયો નથી. એટલા માટે ઈદ તેના 24 કલાક પછી એટલે કે આગલા દિવસે મનાવવામાં આવે છે.

જકાત ઉલ-ફિત્ર
મૂળ રીતે મુસલમાનોનો તહેવાર ઈદ ભાઈચારોને પ્રોત્સાહન આપવાનો તહેવાર છે. આ તહેવાર બધા ભેગા મળીને મનાવે છે અને ખુદાને સુખ-શાંતિ અને બરકત માટે દુઆ માંગે છે. ઈદના દિવસે મસ્જિદોમાં સવારની નમાજ પહેલા દરેક મુસલમાનની ફરજ છે કે તે દાન કે ભિક્ષા આપે. આ દાનને જકાત ઉલ-ફિત્ર કહે છે.

ઈદનો દિવસ મોટા ઉત્સવ સમાન
ઉપવાસની સમાપ્તિની ખુશી ઉપરાંત ઈદમાં મુસલમાન અલ્લાહનો આભાર એટલા માટે પણ કરે છે કે તેમણે મહિના સુધી ઉપવાસ રાખવા માટે શક્તિ આપી. ઈદનો દિવસ મોટા ઉત્સવ જેવો હોય છે. સ્વાદિષ્ટ ભોજન સાથે નવા કપડાં પણ લોકો પહેરે છે અને પરિવાર અને દોસ્તોને ભેટસોગાદો આપે છે. આ તહેવારનો મુખ્ય ખાદ્ય પદાર્થ છે સેવઈ. આના કારણે તેને મીઠી ઈદ કહેવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
