કોંગ્રેસનો 60 લાખ નકલી મતદારોનો દાવો ખોટો ઠર્યો
કોંગ્રેસ પક્ષના મધ્યપ્રદેશમાં 60 લાખ નકલી મતદારોનો દાવો ચૂંટણી આયોગે ખોટો ઠેરવ્યો છે. ચૂંટણી આયોગે તપાસ કરી અને આ દાવાને ખોટો ઠેરવ્યો. ચૂંટણી આયોગે કોંગ્રેસ પક્ષને તપાસનો અહેવાલ સોંપ્યો છે.
કોંગ્રેસ પક્ષના મધ્યપ્રદેશમાં 60 લાખ નકલી મતદારોનો દાવો ચૂંટણી આયોગે ખોટો ઠેરવ્યો છે. હાલમાં જ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી કે મધ્યપ્રદેશમાં મતદાર યાદીમાં ભારે માત્રામાં ગરબડ થઈ રહી છે. જે બાદ ચૂંટણી આયોગે તપાસ કરી અને આ દાવાને ખોટો ઠેરવ્યો. ચૂંટણી આયોગે શુક્રવારે સાંજે કોંગ્રેસ પક્ષને તપાસનો અહેવાલ સોંપ્યો છે.

ચૂંટણી આયોગને ન મળી કોઈ ગરબડ
કોંગ્રેસની ફરિયાદના આધારે ચૂંટણી આયોગે મધ્યપ્રદેશના ચાર વિધાનસભા ક્ષેત્રોમાં મતદાર યાદીનું નિરીક્ષણ કર્યુ હતુ. જેમાં કોઈ ગરબડ મળી નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે 3 જૂને દાવો કર્યો હતો કે વિધાનસભા ક્ષેત્રો નરેલા, હોશંગાબાદ, ભોજપુર અને સિઓની માલવામાં નકલી મતદારો છે.

કોંગ્રેસે કરી હતી ફરિયાદ
કોંગ્રેસની ફરિયાદ બાદ ચૂંટણી આયોગે તપાસ કરી. જેમાંથી સિઓની માલવા ક્ષેત્રમાં 17 મતદાન કેન્દ્રોની 82 યાદીઓની તપાસમાં કોઈ પણ મતદારના નામનો ઉલ્લેખ એકથી વધુ જોવા મળ્યો નથી. વળી, આ જ વિધાનસભા ક્ષેત્રના 20 મતદાન કેન્દ્રોની મતદાર યાદીમાં 2442 નામ ભળતા જોવા મળ્યા. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો 2397 નામ સાચા જોવા મળ્યા જ્યારે 45 નામ સંબધ્ધ મતદારોના મોત કે સ્થાનાંતરણના કારણે મતદાર યાદીમાંથી હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ચૂંટણી આયોગે કરી તપાસ
ચૂંટણી આયોગે મધ્યપ્રદેશની નરેલા વિધાનસભા ક્ષેત્રની સીટ પર મળેલી ફરિયાદ પર પણ તપાસ કરી. મતદાર યાદીના 22252 નામોમાંથી 17684 મતદાતાઓના મામલામાં નામ અલગ જ જોવા મળ્યા જેમાં 1776 મામલામાં મતદારોના નામ અને તેમના સંબંધીઓના નામ એક જ જોવા મળ્યા. જેમાંથી 154 મામલાની તપાસમાં 153 સાચા હતા. આ ઉપરાંત ચૂંટણી આયોગે હોશંગાબાદ વિધાનસભા ક્ષેત્રની પણ મતદાર યાદીની તપાસ કરી જેમાં બધા મામલા યોગ્ય માલૂમ પડ્યા.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
