કોંગ્રેસનો 60 લાખ નકલી મતદારોનો દાવો ખોટો ઠર્યો
કોંગ્રેસ પક્ષના મધ્યપ્રદેશમાં 60 લાખ નકલી મતદારોનો દાવો ચૂંટણી આયોગે ખોટો ઠેરવ્યો છે. ચૂંટણી આયોગે તપાસ કરી અને આ દાવાને ખોટો ઠેરવ્યો. ચૂંટણી આયોગે કોંગ્રેસ પક્ષને તપાસનો અહેવાલ સોંપ્યો છે.
કોંગ્રેસ પક્ષના મધ્યપ્રદેશમાં 60 લાખ નકલી મતદારોનો દાવો ચૂંટણી આયોગે ખોટો ઠેરવ્યો છે. હાલમાં જ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી કે મધ્યપ્રદેશમાં મતદાર યાદીમાં ભારે માત્રામાં ગરબડ થઈ રહી છે. જે બાદ ચૂંટણી આયોગે તપાસ કરી અને આ દાવાને ખોટો ઠેરવ્યો. ચૂંટણી આયોગે શુક્રવારે સાંજે કોંગ્રેસ પક્ષને તપાસનો અહેવાલ સોંપ્યો છે.
ચૂંટણી આયોગને ન મળી કોઈ ગરબડ
કોંગ્રેસની ફરિયાદના આધારે ચૂંટણી આયોગે મધ્યપ્રદેશના ચાર વિધાનસભા ક્ષેત્રોમાં મતદાર યાદીનું નિરીક્ષણ કર્યુ હતુ. જેમાં કોઈ ગરબડ મળી નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે 3 જૂને દાવો કર્યો હતો કે વિધાનસભા ક્ષેત્રો નરેલા, હોશંગાબાદ, ભોજપુર અને સિઓની માલવામાં નકલી મતદારો છે.
કોંગ્રેસે કરી હતી ફરિયાદ
કોંગ્રેસની ફરિયાદ બાદ ચૂંટણી આયોગે તપાસ કરી. જેમાંથી સિઓની માલવા ક્ષેત્રમાં 17 મતદાન કેન્દ્રોની 82 યાદીઓની તપાસમાં કોઈ પણ મતદારના નામનો ઉલ્લેખ એકથી વધુ જોવા મળ્યો નથી. વળી, આ જ વિધાનસભા ક્ષેત્રના 20 મતદાન કેન્દ્રોની મતદાર યાદીમાં 2442 નામ ભળતા જોવા મળ્યા. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો 2397 નામ સાચા જોવા મળ્યા જ્યારે 45 નામ સંબધ્ધ મતદારોના મોત કે સ્થાનાંતરણના કારણે મતદાર યાદીમાંથી હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ચૂંટણી આયોગે કરી તપાસ
ચૂંટણી આયોગે મધ્યપ્રદેશની નરેલા વિધાનસભા ક્ષેત્રની સીટ પર મળેલી ફરિયાદ પર પણ તપાસ કરી. મતદાર યાદીના 22252 નામોમાંથી 17684 મતદાતાઓના મામલામાં નામ અલગ જ જોવા મળ્યા જેમાં 1776 મામલામાં મતદારોના નામ અને તેમના સંબંધીઓના નામ એક જ જોવા મળ્યા. જેમાંથી 154 મામલાની તપાસમાં 153 સાચા હતા. આ ઉપરાંત ચૂંટણી આયોગે હોશંગાબાદ વિધાનસભા ક્ષેત્રની પણ મતદાર યાદીની તપાસ કરી જેમાં બધા મામલા યોગ્ય માલૂમ પડ્યા.