Election Commission Of India: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ECIના આંકડા, મહાયુતિની આંધી ચાલી
Election Commission of India: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પરિણામો આવી રહ્યાં છે. ચૂંટણી પંચે બંને રાજ્યોમાં મતદાન પછી મતગણતરી કરાવી રહ્યું છે. ઝારખંડની 81 વિધાનસભા સીટ પર જ્યારે મહારાષ્ટ્રની 288 સીટ પર મતગણતરી થઇ રહી છે.

એવામાં સૌકોઈની નજર ચૂંટણી પરિણામો પર છે. તમામ ટ્રેન્ડ્સમાં મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને પ્રચંડ બહુમતી મળતી જોવા મળી રહી છે, તો ઝારખંડમાં ફરી એકવાર કોંગ્રેસ-જેએમએમ ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે.
ચૂંટણી પંચના આંકડાઓ
ચૂંટણી પંચ તરફથી બંને રાજ્યોના રિઝલ્ટ શેર કરવામાં આવી રહ્યા છે. ઝારખંડની વાત કરીએ તો ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ અહીં જેએમએમને 30, કોંગ્રેસને 14 સીટ પર બઢત મળેલી છે, અને ભાજપને અહીં 24 સીટ પર બઢત મળેલી છે.
રાજદ 5 સીટ પર, જેએએસયૂપી 2 સીટ પર આગળ ચાલી રહી છે. ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધન 51 સીટ પર જ્યારે એનડીએ 28 સીટ પર આગળ ચાલી રહ્યું છે. એવામાં સ્પષ્ટ છે કે રાજ્યમાં હેમંત સોરેન સરકારની ફરીથી વાપસી થઇ રહી છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિની આંધી
જ્યારે મહારાષ્ટ્ર ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ અહીં ભાજપને 127 સીટ, શિવસેના 55 સીટ, એનસીપી 35 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ 20 સીટ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) 13 સીટ પર આગળ ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપી 13 સીટ પર આગળ ચાલી રહી છે. એટલે કે રાજ્યમાં મહાયુતિ 219 સીટ પર જ્યારે મહાવિકાસ અઘાડી માત્ર 55 સીટ પર આગળ ચાલી રહી છે. એટલે કે આ આંકડાઓથી સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળી રહી છે.
સંજય રાઉતે આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળતી જોઈ સંજય રાઉત પણ આરોપો લગાવતા થઇ ગયા છે. સંજય રાઉતે ચૂંટણીમાં ગડબડી થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતા ઈમાનદાર છે, આ પરિણામોને સ્વીકારી કાય નહીં.
સંજય રાઉતે આરોપ લગાવ્યો કે જેવી રીતે બે દિવસ અગાઉ અદાણીનો ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો, તે પછી મહારાષ્ટ્રને તેમના હવાલે કરવાની કોશિશ કરવામમાં આવી છે. રાજ્યની જનતા પર અમને પૂર્ણ વિશ્વાસ છે, આ પરિણામ જનતાએ આપ્યાં નથી.












Click it and Unblock the Notifications
