શિવરાજ સિંહ ચૌહાણના હેેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ, જાણો કેમ?
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ છે. સામે આવી રહેલી માહિતી અનુસા ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી.
નેપાળના પોખરામાં વિમાન અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ બચાવ્યા છે ત્યારે હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ છે. સામે આવી રહેલી માહિતી અનુસા ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી.

આ પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કરણી સમર્થકોને જવાબ આપ્યો છે. તેમણે પોતાની માતાને યાદ કરીને એક ભાવુક પોસ્ટ લખી છે. તેણે લખ્યું કે, મારા બાળપણમાં માતાનું અવસાન થયું હતું. તેના માટે અભદ્ર ભાષાનો ઉપયોગ અંતઃકરણને વ્યથિત કરે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ભોપાલના જંબોરી મેદાનમાં કરણી સેનાના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આવેલા કેટલાક યુવાનોએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ગાળો બોલી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ પછી ઓબીસી મહાસભા અને કિરાર મહાસભાએ પોલીસ સ્ટેશન પહોંચી મુખ્યમંત્રી વિરુદ્ધ અભદ્ર ભાષા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે ઓકેન્દ્ર સિંહ રાણાની હરિયાણાથી ધરપકડ કરી હતી.
આ મુદ્દે શિવરાજ સિંહે ટ્વિટ કરી લખ્યું કે ભૂતકાળમાં એક આંદોલન દરમિયાન અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીને ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ મારા બાળપણમાં વર્ષો પહેલા મૃત્યુ પામેલી માતા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ અંતઃકરણને વ્યથિત કરે છે.
શિવરાજ સિંહ ચૌહાણે લખ્યુ કે, આ મામલે માફી માંગવામાં આવી છે, હું મારી માતાને પણ પ્રાર્થના કરું છું કે તે જ્યાં પણ હોય તેના આ બાળકોને માફ કરે અને મને હવે તેમની સામે કોઈ દ્વેષ નથી. તમે બધા આપણા પોતાના છો અને જો આપણાથી કોઈ ભૂલ થાય તો તે આપણાથી અલગ થઈ શકે નહીં. શિવરાજે કહ્યું કે હું બધાને પ્રેમ કરું છું. હું સૌના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છું અને સમાજના તમામ વર્ગોના વિકાસ માટે કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતો રહીશ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
