Encounter in Gadchiroli : ગઢચિરોલીમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલવાદી ઠાર, 38 લાખનું હતું ઇનામ
Encounter in Gadchiroli : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીને શોધવા માટે C60 ફોર્સ સર્ચ ઓપરેશન કરી રહી હતી. જે દરમિયાન નક્સલવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. જેના જવાબનાં પોલીસે વળતો ગોળીબાર કર્યો હતો. જેમાં 3 નક્સલી ઠાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ 3 નક્સલવાદીઓ પર 38 લાખનું ઇનામ હતું.

ગઢચિરોલીના ડીઆઈજી સંદીપ પાટીલે જણાવ્યું હતું કે, અહેરી તહસીલના મન્ને રાજારામ વિસ્તારમાં પોલીસ સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર રવિવારની સાંજે 6 કલાકની આસપાસ થયું હતું. માર્યા ગયેલા નક્સલવાદીઓ પર 38 લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસે નક્સલવાદીઓના મૃતદેહ કબ્જે કર્યા છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી છે.
C60 ફોર્સની મોટી સફળતા - મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઢચિરોલીમાં 3 નક્સલીઓને માર મારવાની ઘટના પર જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર પોલીસના C60 ફોર્સે ગઢચિરોલીમાં એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલવાદીઓને ઠાર કર્યા છે અને હું આ પગલા માટે તેમનો આભાર માનું છું. આપણા C60 સૈનિકો અને સેના સતત બહાદુરી બતાવી રહ્યા છે. આપણે ગઢચિરોલીનો વિકાસ કરી શકીએ છીએ. આજે હું ત્યાં જઈ રહ્યો છું. હું દક્ષિણ અને ઉત્તર બંને પ્રદેશોમાં જઈશ. ગઢચિરોલીના વિકાસ માટે ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ખૂબ જ જરૂરી છે.
Gadchiroli, Maharashtra | Three Naxalites were killed in an encounter with police in Manne Rajaram of Aheri tehsil. The encounter took place around 6 pm, the killed Naxalites had a reward of Rs 38 lakhs. Police have recovered the bodies of Naxalites: Sandip Patil, DIG Gadchiroli
— ANI (@ANI) April 30, 2023
આ રીતે થયું નક્સલવાદીઓનું એન્કાઉન્ટર - ગઢચિરોલીના એસપી નીલોત્પલે જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે, નક્સલવાદીઓના પેરીમીલી અને અહેરી દલમના સભ્યો માને રાજારામ અને પેરીમિલી સશસ્ત્ર ચોકીની વચ્ચેના જંગલ વિસ્તારમાં કેમ્પ કરી રહ્યા છે. આ ઇનપુટના આધારે કાર્યવાહી કરીને પોલીસના C-60 ફોર્સના બે યુનિટને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા.
પોલીસ ટીમે જવાબી કાર્યવાહી કરી - એસપીએ જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ અમારી ટીમ પર ગોળીબાર કર્યો, જેના પર પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. એન્કાઉન્ટરમાં ત્રણેય નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમના મૃતદેહ મળી આવ્યા છે.
આ સાથે હથિયારો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતકોમાંથી એકની ઓળખ પેરીમીલી દલમના કમાન્ડર બિટલુ મડાવી તરીકે થઈ છે. જ્યારે અન્ય બે લોકોની ઓળખ પેરીમીલી દલમના વાસુ અને અહેરી દલમના શ્રીકાંત તરીકે થઈ હતી.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
