For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદ સામેની લડાઇમાં આખો દેશ એકસાથે છે: મનમોહન સિંહ

|
Google Oneindia Gujarati News

manmohan singh
જમ્મૂ, 25 જૂન : પ્રધાનમંત્રી મનમોહન સિંહે મંગળવારે શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં શહિદ થયેલા આઠ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને જણાવ્યું કે કાશ્મીરમાં આતંકવાદીયોને ક્યારેય સફળતા નહીં મળે.

પ્રધાનમંત્રી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે જમ્મુ અને કાશ્મીર પ્રવાસ પર છે. જ્યારે સોનિયા ગાંધીએ પણ શહીદોને સલામી આપી છે. બે દિવસીય પ્રવાસના પહેલા દિવસે અત્રે એક જનસભાનું સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આખો દેસ આતંકવાદ સામેની લડાઇમાં એકસાથે છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે શ્રીનગરમાં શહીદ થયેલા સેનાના આઠ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. જમ્મુ અને કાશ્મીરના બે દિવસીય પ્રવાસ પર આવેલા સોનિયા ગાંધીએ કિશ્તવાડમાં જનસભાને સંબોધતા જણાવ્યું કે સોમવારે જે આતંકવાદી હુમલાની ઘટના ઘટી છે તેમાં માર્યા ગયેલા જવાનો પ્રત્યે તેમને સહાનુભૂતિ છે.

English summary
Prime Minister Manmohan Singh today said that the entire nation stands united against terrorism which will not be allowed to succeed, a day after militants struck in Srinagar killing eight army men.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X