Coronavirus: ગરીબોને આવી રીતે મદદ કરી છે Essar, લાખો લોકોની ભૂખ મટાડી
Coronavirus: ગરીબોને આવી રીતે મદદ કરી છે Essar, લાખો લોકોની ભૂખ મટાડી
મુંબઈ, દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, જેને પગલે કરોડો ગરીબોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે એસ્સાર ફાઉન્ડેશન ગરીબોના વ્હારે આગળ આવ્યું છે. એસ્સાર ફાઉન્ડેશને ભારતમાં કોવિડ-19 રોગચાળાથી અસરગ્રસ્ત ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ માટે ઉપલબ્ધ કરાવવામાં આવનાર 1.25 મિલિયન ભોજનની પ્રતિબદ્ધતા વધારીને 20 લાખ કરવાનો નિર્ણય લીધો છે.

એસ્સાર ફાઉન્ડેશને સમાજનાં નબળા સમુદાયોને લગભગ 8 લાખ જેટલા ટીફીન પ્રદાન કર્યાં છે, જેમાં બેઘર લોકો, રોજિંદા મજૂરી પર નિર્ભર લોકો, ટ્રાન્સજેન્ડર્સ અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ સામેલ છે. જેમાંથી દરરોજ 20,000 ટીફીન મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ રીલિફ ફંડ માટે અંકિત કરવામાં આવ્યાં છે.
આ ચીજ-વસ્તુઓનું દાન પણ કર્યું છેઃ
- હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો અને બીએમસી વર્કરોને 150,000 માસ્ક (એન95 અને 3પ્લાય) અને સેનિટાઇઝર્સ
- હોસ્પિટલો અને પોલીસ સ્ટેશનોને 5,000 પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ)
આ રાહત સામગ્રીનું વિતરણ સમગ્ર મહારાષ્ટ્રમાં થયું છે, જેને રોગચાળાની સૌથી વધારે અસર થઈ છે. ઉપરાંત ગુજરાત, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ વિતરણ કરવામાં આવ્યું છે. કોવિડ-19 હોટસ્પોટ તરીકે જાણીતા સાઉથ મુંબઈમાં એસ્સાર કેટલીક સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ પોલીસ સ્ટેશનોમાં આવશ્યક તબીબી પુરવઠો પ્રદાન કરે છે.
એસ્સાર ફાઉન્ડેશનના સીઇઓ અને ગ્રૂપ પ્રેસિડન્ટ - કોર્પોરેટ એચઆર શ્રી કૌસ્તુભ સોનાલ્કરે કહ્યું હતું કે, "ભારતની અગ્રણી કોર્પોરેટ પૈકીની એક કોર્પોરેટ તરીકે અમારે માનવું છે કે, અમારા પ્રયાસો વધારવાની અમારી ફરજ છે. લોકડાઉન લંબાવવાથી આપણા સમાજનાં નબળા વર્ગોના લોકોને સૌથી વધુ અસર થશે. આ અભૂતપૂર્વ આપત્તિના સમયમાં તેમને અસ્તિત્વ ટકાવવા આપણા સાથ સહકારની જરૂર છે. અમે ભાગ્યશાળી છીએ કે અમે રાજ્ય સરકારનાં વહીવટીતંત્ર સાથે જોડાણમાં ઝડપથી કામ કરી શક્યાં છીએ, કારણ કે અમે મહારાષ્ટ્ર સરકારનાં કોરોના કન્ટ્રોલ સીએસઆર ગ્રૂપ સાથે જોડાણ ધરાવીએ છીએ. એસ્સાર કોવિડ-19 રીલિફ ફંડ સમગ્ર ભારતમાં વંચિત અને નબળા સમુદાયનાં લોકોને ટેકો આપવાનું ચાલુ રાખશે."
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
