વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ તનિષા મુખર્જીને થયો કોરોના, કરી હતી આ મોટી ભુલ
બોલિવૂડ અભિનેત્રી તનિષા મુખર્જી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે, જોકે તેની રિકવરી ઝડપથી ચાલી રહી છે. કાજોલની બહેન તનિષાએ પોતાની હેલ્થ અપડેટ આપતાં કહ્યું હતું કે, સદનસીબે મારી તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. મેં રસીના બંને ડોઝ
બોલિવૂડ અભિનેત્રી તનિષા મુખર્જી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે, જોકે તેની રિકવરી ઝડપથી ચાલી રહી છે. કાજોલની બહેન તનિષાએ પોતાની હેલ્થ અપડેટ આપતાં કહ્યું હતું કે, સદનસીબે મારી તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. મેં રસીના બંને ડોઝ લીધા હતા, તેથી મારા કોરોના લક્ષણો એટલા ગંભીર નથી અને હું બહુ બીમાર નથી. આ સાથે અભિનેત્રીએ જણાવ્યું કે તેને માત્ર એક દિવસ માટે તાવ હતો. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે કઈ ભૂલથી તેને કોરોના થયો?

તનિષાએ કહ્યું કે તેણે શું ભુલ કરી હતી
તનિષા મુખર્જીએ ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો હતો કે કોરોનાના પોઝિટિવ રિપોર્ટ બાદ તેણે પોતાની જાતને આઈસોલેટ કરી લીધી છે. 43 વર્ષીય અભિનેત્રીએ ખુલાસો કર્યો કે "હું તાજેતરમાં એક સામાજિક મેળાવડામાં ગઈ હતી, મેં માસ્ક પહેર્યું હતું પરંતુ ફોટોશૂટ અને વાતચીત દરમિયાન મારે માસ્ક હટાવવું પડ્યું હતુ. જેના કારણે મને લાગે છે કે તે સાંજે હું કોરોના વાયરસના સંપર્કમાં આવી હતી અને ચેપ લાગ્યો હતો.

કોરોના વાયરસ ગયો નથી
તનિષા મુખર્જીએ કહ્યું કે ભલે રસી તેને વાયરસ સામે લડવામાં મદદ કરી રહી છે, પરંતુ તમામ સાવચેતી રાખવા છતાં ચેપ લાગવો એ એક એવી વસ્તુ છે જે તેને દરેક પગલા પર જાગ્રત રહેવાના મહત્વનો અહેસાસ કરાવે છે. કોરોના વાયરસ ગયો નથી, તે હવે આપણા પર્યાવરણનો એક ભાગ છે અને મને લાગે છે કે આપણે પોલિયો અથવા પ્લેગ પર વિજય મેળવ્યો તે રીતે આપણે તેના પર કાબુ મેળવીશું.

પગલાંને અવગણી શકાય નહી
આના પર ભાર મૂકતા અભિનેત્રીએ કહ્યું કે જ્યાં સુધી આપણે આને દૂર ન કરી શકીએ ત્યાં સુધી અમે નિવારક પગલાંને અવગણી શકીએ નહીં. અભિનેત્રીએ કહ્યું કે હું કોઈ નવા પ્રકારને લઈને ચિંતિત નથી કારણ કે યોગ્ય માહિતી હોવાને કારણે આપણે કોઈપણ બાબતને પાર કરી શકીએ છીએ. હું લોકોને માત્ર એ સમજવા માટે કહીશ કે રસીકરણ પછી પણ તમને ચેપ લાગી શકે છે. તેથી સાવચેત રહેવાની જરૂર છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
