EWS અનામત યથાવત રહેશે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
આર્થિક રીતે પછાત વર્ગોને આપવામાં આવેલી અનામત માટે સુપ્રીમ કોર્ટે રસ્તો સાફ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ માટે દાખલ કરાયેલી પુન વિચાર અરજીઓને રદ કરી દીધી છે. હવે આર્થિક અનામત ક્વોટા યથાવત રહેશે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે EWS ક્વોટાને જાળવી રાખવાના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે. અરજી ફગાવતા કોર્ટે કહ્યું કે, રેકોર્ડ સામે કોઈ ભૂલ સ્પષ્ટ નથી.

103મા બંધારણીય સુધારામાં આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામત અપાઈ હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જેબી પારડીવાલાની 5 જજોની બેન્ચે હવે રિવ્યુ પિટિશન ફગાવીને રસ્તો સાફ કરી દીધો છે.
અહીં તમને જણાવી દઈએ કે, 7 નવેમ્બર 2022ના રોજ 5 જજોની બેન્ચે તત્કાલિન CJI UU લલિત અને ન્યાયમૂર્તિ રવિન્દ્ર ભટની અસંમતિ સાથે 3:2 બહુમતીથી EWS ક્વોટાને સમર્થન આપ્યું હતું. જસ્ટિસ લલિત નિવૃત્ત થયા હોવાથી સમીક્ષા બેંચનું નેતૃત્વ વર્તમાન CJI જસ્ટિસ ચંદ્રચૂડ કરી રહ્યા છે. હવે તેમને આ મહત્વનો ચુકાદો આપ્યો છે.












Click it and Unblock the Notifications
