આ શું, અંબાણી અને અદાણીને ન મળી મોદી સાથે Appointment

ambani-adani
નવી દિલ્હી, 19 ઓગષ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસ એટલે કે પીએમઓ દ્વારા ના તો રિલાયન્સ ઇંડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને ના તો અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીને વડાપ્રધાનને મળવાનો સમય મળી રહ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે આ બંને દ્વારા પીએમઓમાં ઘણીવાર મળવા માટે નિવેદન કરવામાં આવ્યું છે પરંતુ વાત બનતી નથી.

લોકસભા ચૂંટણી દરમિયાન લાગ્યા હતા મોદી પર આરોપ
મહત્વપૂર્ણ છે કે એપ્રિલ-મેમાં સંપન્ન લોકસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા નરેદ્ર મોદી પર વારંવાર આરોપ લાગતાં રહ્યાં હતા કે ભાજપ અને મોદીની કેંપેનને ફાઇનાંસ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વારાણસીમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે તો પોતાની ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી અભિયાનને આ બંને ફાયનાંસ કરી રહ્યાં અને બની શકે કે બાદમાં સત્તા આવ્યા પછી મોદી બંને સમૂહોને મોટા ફાયદો પહોંચાડે.

પીયૂષ ગોયલને મળ્યા અંબાણી અને અદાણી
તમને જણાવી દઇએ કે મુકેશ અંબાણી અને એડીએજી ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણી અને અદાણી ગુપના ગૌતમ અદાણીએ એનર્જી મિનિસ્ટર પીયૂષ ગોયલ સાથે રાજધાનીમાં મુલાકાત કરી. આ તે સમયની વાત છે જ્યારે દેશમાં ઉર્જા સંકટ પર હતો.

નરેન્દ્ર મોદીએ જ્યારથી વડાપ્રધાનપદની જવાબદારી સંભાળી છે ત્યારથી કેટલીક વાતો પર પોતાનું સખત વલણને લઇને લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X