ખેડુતોએ ભાજપના ઘમંડને તોડી નાખ્યુ, હરિયાણાની સભામાં કેજરીવાલ
ધર્મનગરી કુરુક્ષેત્રમાં આમ આદમી પાર્ટીની જનસભામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના વિકાસ મોડલની પેટ ભરીને વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, પંજાબ અને હરિયાણાના 36 જાતિના ખેડૂતોએ કેન્દ્ર સરકારને જુકાવા માટે એક
ધર્મનગરી કુરુક્ષેત્રમાં આમ આદમી પાર્ટીની જનસભામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના વિકાસ મોડલની પેટ ભરીને વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, પંજાબ અને હરિયાણાના 36 જાતિના ખેડૂતોએ કેન્દ્ર સરકારને જુકાવા માટે એક વર્ષ સુધી આંદોલન કર્યુ. વધુમાં જણાવ્યુ હતુ કે, ત્રેતા અને દ્વાપરમાં જેવી રીતે જેમ ભગવાને અહંકારનું દમન કર્યુ હતુ તેમ ખેડૂતઓએ ભાજપના ઘમંડને તોડી નાખ્યો છએ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, દિલ્હી અને પંજાબ બાદ હવે હરિયાણાની વારી છે.
દિલ્હી અને પંજાબ બાદ હરિયાણામાં પણ ભ્રષ્ટાચારને ખતમ કરવામાં આવશે. કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતુ કે, ભાજપ હરિયાણામાં ભાજપ ખટ્ટરની જગ્યાએ બીજા અન્ય મુખ્યમંત્રી બનાવામાં માંગે છે. આપ સંયોજકે કહ્યુ કે, દિલ્હીમાં આપ સરકારે અત્યાર સુધીમાં 12 લાખ નોકરીઓ આપી છે. આગામી 5 વર્ષમાં 20 લાખ નોકરી આપવામાં આવશે. આપ નેતાએ ખટ્ટર સરકાર પર નિશાન સાધતા જણાવ્યુ હતુ કે, અંહી ભરતીના પેપર લીક થઇ જાય છે. આ તમને નોકરી નહી આપે. આ લોકોનીસ સરકારમાં વિજળી પાણી શિક્ષમ આપવની વાત જ નથી કરવામાં આવતી. આર્મીની નોકરી પણ નથી બહાર પાડવામાં આવતી. તેના માટે તે પીએમ મોદીને પત્ર લખશે.
સીએમ કેજરીવાલે દિલ્હી સરકારના વિકાસના કાર્યની જાણકારી આપીને તના વખાણ કર્યા હતા. જણાવ્યુ કે, દિલ્હીમાં 24 કલાક ફઅરી વિજળી આપવામાં આવે છે. દિલ્હીમાં 2 કરોડ લોકોને ઇલાજ ફ્રીમાં કરવામાં આવે છે. શિક્ષણમાં સુધારો કરવામાં આવ્યો મહોલ્લા ક્લિનિક ખોલવામાં આવ્યા છે.
હરિયાણા નગરપાલિકાના ચૂટણીમાં આમ ઉમેદવારો માટે આપના સંયોજકે અપિલ કરી હતી. કેજરીવાલે જણાવ્યુ હતુ કે, હરિયાણાના લોકો ફ્રીમાં વિજળી જોઇએ તો તેમને સરકાર બદલવી પડચશે. પહેલા દિલ્હીમાં મહાનગરપાલિકા માટે મતદાન કરો ત્યાર બાદ હરિયાણાં ખટ્ટર સરકાર હટાવા માટે મતદાન કરવુ પડશે.