Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખેતરોમાં પરાલી ના બાળે ખેડૂત, સરકાર તેમને વળતર આપશે, જાણો કેટલી રકમ આપશે?

પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને ખેતરમાં પરાલી ન બાળવા માટે સમજાવી રહી છે.

ચંદીગઢઃ પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને ખેતરમાં પરાલી ન બાળવા માટે સમજાવી રહી છે. AAP સરકારનુ કહેવુ છે કે જે ખેડૂતો પરાલી નહિ બાળે તેમને વળતર આપવામાં આવશે. AAP સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકારો અને કેન્દ્ર બંને દ્વારા સંયુક્ત રીતે ખેડૂતોને વળતરની જાહેરાત કરી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે પંજાબમાં જે ખેડૂતો ડાંગરનુ ભૂસુ નહીં બાળે તેમને પ્રતિ એકર 2500 રૂપિયાનુ વળતર મળશે.

mann-kejriwal

ખેડૂતોને વળતર પંજાબ અને દિલ્લી સરકાર 500 રૂપિયા પ્રતિ એકરના સમાન હિસ્સામાં ચૂકવશે. જ્યારે પ્રતિ એકર 1,500 રૂપિયા કેન્દ્ર દ્વારા ચૂકવવામાં આવશે. કેજરીવાલના જણાવ્યા મુજબ પંજાબની આપ સરકારે આ સંબંધમાં એર ક્વોલિટી કમિશનને પ્રસ્તાવ મોકલ્યો છે. ખેડૂતો માટે આ પ્રોત્સાહન ડાંગરના સ્ટ્રોના ઇન-સીટુ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા અને દિલ્લી અને એનસીઆરમાં મુખ્યત્વે પરાલી સળગાવવાના કારણે વાયુ પ્રદૂષણના સ્તરને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ કરશે. એક અહેવાલ મુજબ રાજ્ય સરકારના 'અનાજ ખરીદ' પોર્ટલ પર તમામ ખેડૂતોની વિગતો પહેલેથી જ અપલોડ કરવામાં આવી છે.

પોર્ટલ દ્વારા થશે ચૂકવણી

ખેડૂતો પાસેથી ખરીદેલા પાકની ચુકવણી પણ આ પોર્ટલ દ્વારા આપવામાં આવે છે. સરકાર અનાજ ખરીદ પોર્ટલ દ્વારા ડાંગરના ભૂસાને સળગાવવા અને ઇન-સીટુ મેનેજમેન્ટ માટે ખેડૂતોને આ રોકડ પ્રોત્સાહન આપશે. આ વળતરની માંગણી માટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા દાવાઓને ચકાસવા માટે સરકાર રિમોટ સેન્સિંગ ઈમેજરી તેમજ ખેતરોની ભૌતિક ચકાસણી પર આધાર રાખશે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આ પહેલીવાર છે જ્યારે ખેડૂતોને પરાલી બાળવાથી દૂર રાખવા માટે રોકડ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.

પંજાબ અને દિલ્લી સરકાર ઉઠાવશે ખર્ચ

પંજાબના ખેડૂતોને ઇન-સીટુ મેનેજમેન્ટ મશીનરી ખરીદવા માટે આપવામાં આવતી એકમાત્ર સબસિડી 2018થી લગભગ રૂ.1,145 કરોડ છે. ધ ટ્રિબ્યુનના એક અહેવાલમાં ટોચના અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો ભારત સરકાર ભંડોળ છોડવામાં નિષ્ફળ જશે, તો અમે તેમને ડાંગરના ભૂસાને સળગાવવાના વળતર તરીકે ઓછામાં ઓછા રૂ. 1,000 પ્રતિ એકર આપીશુ. પંજાબ અને દિલ્લી સરકાર બંને પર 365 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જો કેન્દ્ર ખેડૂતોને પ્રતિ એકર રૂ. 1,500ના વળતરમાં તેનો હિસ્સો ચૂકવવા સંમત થાય તો તેમનો હિસ્સો વધીને રૂ. 1,095 કરોડ થઈ જશે.

29.3 લાખ હેક્ટર પર ધાનની ખેતી

પંજાબમાં આ વર્ષે 29.3 લાખ હેક્ટર (73 લાખ એકર)માં ડાંગરની ખેતી થઈ રહી છે. દર વર્ષે ડાંગર હેઠળનો લગભગ 50 ટકા વિસ્તાર આગામી પાક માટે સ્ટબલ બાળીને તૈયાર કરવામાં આવે છે. ગયા વર્ષે 76,680 સ્ટબલ સળગાવવાની ઘટનાઓ બની હતી, જે ઘણા વર્ષોમાં સૌથી વધુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X