For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિ કાયદાને રદ કરવા સિવાય જો ખેડૂતો પાસે કોઈ વિકલ્પ હોય તો અમે ચર્ચા માટે તૈયારઃ કૃષિ મંત્રી

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કૃષિ કાયદાઓના મુદ્દે મીડિયા સાથે વાતચીત કરી. જાણો શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કૃષિ કાયદાઓના મુદ્દે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે જો ખેડૂત સંગઠન કૃષિ કાયદાને રદ કરવાના બદલે તેનો કોઈ વિકલ્પ આપવા માંગતો હોય તો અમે વાતચીત માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદા અંગે વાતચીત થઈ ચૂકી છે પરંતુ બંને વચ્ચે કોઈ સંમતિ થઈ શકી નથી.

narendra singh tomar

ખેડૂત સંગઠન જ્યાં એક તરફ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ કેન્દ્ર સરકાર તેને પાછો લેવાના નિર્ણય પર અડગ છે. કૃષિ કાયદા વિશે ખેડૂત સંગઠન છેલ્લા લગભગ 6 મહિનાથી દિલ્લીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ પીએમ મોદીને પત્ર લખીને કૃષિ કાયદા મુદ્દે વાતચીત કરવા માટે કહ્યુ હતુ. કૃષિ કાયદાને રદ કરવા અંગે લાંબા સમયથી દિલ્લીની બૉર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલનને તેજ કરવાની રણનીતિ પર ચર્ચા કરવા માટે આજે ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે કોલકત્તામાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે પણ મુલાકાત કરશે.

ખાદ્ય તેલની કિંમતો વધવાથી ખેડૂતોને ફાયદો

તમને જણાવી દઈએ કે ખેડૂત સંગઠનોને ડર છે કે આ કૃષિ કાયદાઓ દ્વારા કેન્દ્ર સરકાર મોટી કંપનીઓના ભારત આવવાના માર્ગને મોકળો બનાવી રહી છે જે નાના ખેડૂતો માટે મોતની ઘંટીની જેમ હશે. કૃષિ મંત્રીએ સરસિયાના તેલના વધતા ભાવો વિશે કહ્યુ કે સરસિયાના તેલની કિંમતો વધી ગઈ છે કારણકે સરકારે શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેલમાં મિલાવટ બંધ કરી દીધી છે. આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે. તેમણે આગળ કહ્યુ કે ખાદ્ય તેલની કિંમતો પર સરકારની નજર છે.

English summary
Farmers have any option for agricultural laws then we are ready to talk: Agriculture Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X