Farmers Protest : વરુણ ગાંધીએ ટ્વિટર બાયોમાંથી 'ભાજપ' શબ્દ હટાવ્યો!
લખીમપુર ખીરીમાં થયેલી હિંસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યા બાદ તેના ટ્વિટર એકાઉન્ટના બાયોમાંથી 'ભાજપ' શબ્દ હટાવ્યો છે.
લખનઉ, 04 ઓક્ટોબર : લખીમપુર ખીરીમાં થયેલી હિંસાને લઈને ચાલી રહેલા રાજકારણ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યા બાદ તેના ટ્વિટર એકાઉન્ટના બાયોમાંથી 'ભાજપ' શબ્દ હટાવ્યો છે. તમને જણાવી દઈએ કે, વરુણ ગાંધીએ સોમવારે સવારે સીએમ યોગીને એક પત્ર લખીને લખીમપુર ખીરી હિંસા કેસની સીબીઆઈ તપાસની માંગણી કરી હતી અને પીડિતોના પરિવારોને એક કરોડ રૂપિયાના વળતરની પણ માંગ કરી હતી.

વરુણ ગાંધી ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવતા રહ્યા છે
ભાજપના સાંસદ વરુણ ગાંધી સતત ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે. અગાઉ તેમણે ખેડૂતોના આંદોલનને ખુલ્લો ટેકો આપ્યો હતો. તેમણે શેરડીના ટેકાના ભાવમાં વધારો કરવાની માંગણી કરતો પત્ર પણ લખ્યો હતો. જ્યારે યુપી સરકારે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 25 નો વધારો કરી 350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો હતો, ત્યારે વરુણ ગાંધીએ ફરી મુખ્યમંત્રીને પત્ર લખી શેરડીના ટેકાના ભાવને વધારીને 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની માંગ કરી હતી. સોમવારે સવારે વરૂણ ગાંધીએ લખીમપુર ખીરીમાં થયેલી હિંસા અંગે સીએમ યોગીને પત્ર લખ્યો હતો.

લખીમપુર ખીરી કેસની સીબીઆઈ તપાસની માંગ
વરુણ ગાંધીએ પત્રમાં જણાવ્યું હતું કે, દેશમાં મહાત્મા ગાંધીનો જન્મદિવસ ઉજવવાના એક દિવસ બાદ જ ખેડૂતો સાથે બર્બરતા કરવામાં આવી છે તેને સ્વીકારી શકાય નહીં. વરુણ ગાંધીએ આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગણી કરી છે અને કહ્યું છે કે પીડિતોના પરિવારોને એક કરોડ રૂપિયા આપવામાં આવે. વરુણ ગાંધીએ કહ્યું કે ખેડૂતો પણ આપણા પોતાના ભાઈઓ છે અને જો તે તેની કેટલીક માંગણીઓ માટે લોકશાહી પ્રક્રિયા હેઠળ વિરોધ કરી રહ્યા છે તો તેને ટેકો આપવો જોઈએ, સાંભળવું જોઈએ અને ગાંધીવાદી રીતે શાંતિપૂર્ણ ઉકેલ માંગવો જોઈએ.

ગુનેગારોને માફ કરી શકાય નહીં-વરુણ ગાંધી
વરુણ ગાંધીએ વધુમાં કહ્યું કે, આ ઘટના એવી છે કે ગુનેગારોને માફ કરી શકાય નહીં. પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ઘટનાની સીબીઆઈ તપાસ થવી જોઈએ અને ભારતીય દંડ સહિતાની કલમ 302 હેઠળ કેસ દાખલ કરીને ગુનેગારોને સખત સજા આપવી જોઈએ. અંતે વરુણ ગાંધીએ કહ્યું કે, આશા છે કે આ ઘટનાની ગંભીરતાને જોતા મારી વિનંતી પર તાત્કાલિક પગલાં લેવાની મુશ્કેલી ઉઠાવશો.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
