Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાક.ની નાપાક હરકત, 25 સ્થળોએ કર્યું ફાયરિંગ

શ્રીનગર, 19 ઓક્ટોબર: જમ્મુ સ્થિત આતંરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે રાત્રે જમ્મુમાં સીમા પર 25 અલગ-અલગ સ્થળો પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી. આ ફાયરિંગમાં બીએસએફની ચોકીઓને નિશાનો બનાવવામાં આવ્યો છે. જ્યારે એક ઘુસણખોરને સાંભામાં ઠાર મરાયો છે. જ્યારે પરાગવાલ સેક્ટરમાં બે બીએસએફના જવાન ઘાયલ થયા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં પાંચવાર સંઘર્ષવિરામ તોડનાર પાકિસ્તાની રેંઝર્સે જમ્મુ અને સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પર આરએસ પુરા, પરગલ, સાંબા વિસ્તારમાં સરહદી ચોકીઓ અને પોશ વિસ્તારોમાં ગોળીબાર કર્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસોથી સતત સરહદ પર પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન જારી છે.

army
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને પકડવા માટે ચલાવવામાં આવેલ સુરક્ષા અભિયાનની રીતો પર વડાપ્રધાન મનમોહન સિંહએ ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રોનું કહેવું છે કે સિંહે આ અઠવાડિયે મળેલી બેઠકમાં આ અભિયાન ચલાવવા રક્ષા મંત્રાલયની રીતિઓ અને વધારી ચઢાવીને કરવામાં આવેલા દાવાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. 24 સપ્ટેમ્બરના રોજ સેનાએ સરહદી વિસ્તારમાં અભિયાન શરૂ કર્યુ હતું. 35થી 40 આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવા અને લગભગ એક ડઝન આતંકવાદીઓના માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો હતો.

ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિતિનું નિરિક્ષણ લેવા માટે એક દિવસીય યાત્રા દરમિયાન હીરાનગર, સાંબા, અને આરએસપુરા વિસ્તારોની મુલાકાત લેશે. સીમા પર વારંવાર પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાના કારણે સ્થિતિ અત્યંત તણાવભરી બનેલી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X