નાણા મંત્રી નિર્મલા સિતારામન બોલ્યા- દેશમાં કોલસાની કોઇ કમી નથી, આ અંગેની વાતો પાયાવિહોણી
છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સંબંધિત અહેવાલો બહાર આવી રહ્યા છે. જેના કારણે ઘણા રાજ્યોમાં વીજળીની કટોકટી ભી થઈ છે અને વીજ કાપ પણ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારો સતત કેન્દ્રને આનો ઉકેલ શોધવ
છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સંબંધિત અહેવાલો બહાર આવી રહ્યા છે. જેના કારણે ઘણા રાજ્યોમાં વીજળીની કટોકટી ભી થઈ છે અને વીજ કાપ પણ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારો સતત કેન્દ્રને આનો ઉકેલ શોધવા માટે કહી રહી છે. બીજી તરફ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ તમામ અહેવાલને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે દેશમાં કોલસાની કોઈ અછત નથી.

સિતારામને શું કહ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાર મૂક્યો હતો કે દેશમાં કોલસાની કોઈ અછત નથી. દેશમાં કોલસાની અછતના અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. સીતારમણે કહ્યું કે ભારત એક પાવર સરપ્લસ દેશ છે. વીજળી અને કોલસાની કટોકટી વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.
સીતારામને કહ્યું કે ઉર્જા મંત્રી આર કે સિંહે બે દિવસ પહેલા જ કહી દીધું છે કે કોલસાની અછતને લગતા એકદમ પાયાવિહોણા અહેવાલો છે. આ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. કોઈ વસ્તુની કમી નથી. દરેક પાવર જનરેશન ઇન્સ્ટોલેશન પાસે તેના પરિસરમાં આગામી ચાર દિવસનો સ્ટોક છે અને સપ્લાય ચેઇન બિલકુલ તૂટી નથી.

કોલસા મંત્રીએ પણ નિવેદન આપ્યું
કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે કોલ ઇન્ડિયા પાસે હાલમાં 22 દિવસનો કોલસો સ્ટોક છે અને પુરવઠો વધારવામાં આવી રહ્યો છે. અમે સમગ્ર દેશને ખાતરી આપવા માંગીએ છીએ કે જરૂરિયાત મુજબ કોલસો ઉપલબ્ધ કરાવાશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ચોમાસાના અંત પછી કોલસાનો પુરવઠો ઝડપથી સુધરશે. 21 ઓક્ટોબર પછી અમે 20 લાખ ટન કોલસાની સપ્લાય કરવાનો પ્રયાસ કરીશું.

કોલસાના જથ્થામાં ઘટાડો
આ મુદ્દો કોલસાના સ્ટોક સાથે સંબંધિત છે. દેશના 135 પાવર સ્ટેશનમાંથી 115 કોલસાની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. દેશના 70 પાવર પ્લાન્ટમાં ચાર દિવસથી પણ ઓછો કોલસો બાકી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં લગભગ 70 ટકા વીજ ઉત્પાદન કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ પર આધારિત છે. આવી સ્થિતિમાં માત્ર વિપક્ષી પાર્ટીઓ જ નહીં, પરંતુ આ ક્ષેત્રના નિષ્ણાતોએ પણ કોલસાની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા લોકોએ આ વિશે કહ્યું છે કે જો આ કટોકટીનો ઉકેલ નહીં આવે તો વીજળીથી ચાલતા ઉદ્યોગને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
