પીએમ કેર્સ ફંડ માટે કરેલા ટ્વિટ બદલ સોનિયા ગાંધી સામે કર્ણાટકમાં FIR
કોરોના સંકટમાં પીએમ કેર્સ ફંડ માટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધારી દીધી છે.
કોરોના સંકટમાં પીએમ કેર્સ ફંડ માટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધારી દીધી છે. કોંગ્રેસ તરફથી 11 મેના રોજ કરવામાં આવેલ આ ટ્વિટ માટે કર્ણાટકના શિવમોગામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એફઆઈઆરમાં સોશિયલ મીડિયા અકાઉન્ટના સંચાલક સોનિયા ગાંધીને જ ગણવામાં આવ્યા છે.

પીએમ કેર્સ ફંડની પારદર્શિતા વિશે સવાલ ઉઠાવ્યા હતા
મળતી માહિતી મુજબ સોનિયા ગાંધી સામે કેસ ફાઈલ કરાવનારની ઓળખ કેવી પ્રવીણ કુમારના નામે થઈ છે. પ્રવીણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને વ્યવસાયે વકીલ છે. પ્રવીણે પીએમ કેર્સ ફંડ વિશે કોંગ્રેસના ટ્વિટ બાદ સોનિયા ગાંધી સામે કેસ નોંધાવ્યો છે. 11 મે, 2020ના રોજ કોંગ્રેસ તરફથી ઘણા ટ્વિટ કરવામાં આવ્યા જેમાં પાર્ટીએ પીએમ કેર્સ ફંડની પારદર્શિતા વિશે સવાલ ઉઠાવ્યા હતા.
|
સોનિયા ગાંધી ટ્વિટમાં શું લખ્યુ હતુ
કોંગ્રેસે પોતાના એક ટ્વિટમાં લખ્યુ, 'શું પીએમ કેર્સ ફંડમાં ફાળો આપનાર દેશવાસીઓને અધિકાર નથી કે તે એ જાણ કે ફંડના પૈસા ક્યાં અને કોના માટે ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. ભાજપની દરેક યોજનાની જેમ પીએમ કેર્સ ફંડમાં પણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે.'
|
FIR નોંધાવનારે શું કહ્યુ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી પર કેસ નોંધાવનાર પ્રવીણ કેવીએ કહ્યુ, સોનિયા ગાંધી કોરોના સંકટમાં સરકાર સામે અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે પીએમ કેર્સ ફંડને છેતરપિંડી ગણાવી છે. તેમણે પોતાના ટ્વિટર પર કહ્યુ કે આનો ઉપયોગ જનતા માટે નથી કરવામાં આવી રહ્યો પરતુ આનો ઉપયોગ વિદેશ યાત્રાઓ પર કરવામાં આવી રહ્યો છે. આ બધુ સરકારને બદનામ કરવાનુ ષડયંત્ર છે માટે તે તેમની સામે ફરિયાદ નોંધાવી છે.
-
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી












Click it and Unblock the Notifications
