RSS કાર્યાલયને બૉમ્બથી ઉડાવવાની વૉટ્સએપ પર મળી ધમકી, લખનઉમાં નોંધાઈ FIR
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના છ કાર્યાલયોને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.
લખનઉઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના છ કાર્યાલયોને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકી એક વૉટ્સએપ ગ્રુપ પર મળી છે. ધમકી મળ્યા બાદ લખનઉના મડિયાંવ પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને કેસની તપાસ શરુ કરી દેવામાં આવી છે. પોલિસનુ કહેવુ છે કે ધમકી આપનાર લોકો વિશે માહિતી મેળવવામાં આવી રહી છે, જલ્દી આરોપીઓને પકડી લેવામાં આવશે.

અહેવાલો મુજબ આ ધમકી સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યે વૉટ્સએપ દ્વારા મળી છે. આ ધમકીભર્યા મેસેજમાં લખનઉમાં 2 ઓફિસ અને કર્ણાટકમાં 4 ઓફિસને ઉડાવી દેવાની વાત કહેવામાં આવી છે. આ ધમકી કન્નડ, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં અલ અન્સારી ઇમામ રઝી ઉન મહેંદી નામનુ વૉટ્સએપ ગ્રુપ બનાવીને આપવામાં આવી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે અલ ઇમામ અંસાર રાઝી ઉન મહેંદી નામના ગ્રુપમાં આરએસએસનો એક કાર્યકર ઈનવાઈટ લિંક દ્વારા જોડાયો હતો.
આ વોટ્સએપ ગ્રુપની ઈન્વાઈટ લિંક ઘણા ગ્રુપમાં શેર કરવામાં આવી રહી હતી જેના કારણે RSS કાર્યકર્તા પણ તેને ઓપન કરીને જોડાઈ ગયો. વૉટ્સએપ ગ્રુપમાં જોડાયા પછી કાર્યકર્તાએ જોયુ કે આ પદ્ધતિ પર ચર્ચા થઈ રહી છે. ત્યારબાદ તેણે અવધ પ્રાંતના એક અધિકારીને જાણ કરી. આ મામલાની નોંધ લેતા અવધ પ્રાંતના અધિકારીએ આરએસએસના ટોચના અધિકારીઓને જાણ કરી ત્યારબાદ સમગ્ર મામલાની માહિતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે શેર કરવામાં આવી.
માહિતી મળ્યા પછી લખનઉ પોલીસ એક્શનમાં આવી ગઈ અને પોલીસની ટીમ લખનઉના અલીગંજ સેક્ટર ક્યૂ સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર પહોંચી. અહીં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત, RSSના અવધ પ્રાંતના ઘોષ પ્રમુખ પ્રોફેસર નીલકંઠ તિવારીની ફરિયાદ પર લખનઉના મડિયાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. લખનઉના મડિયાંવ પોલીસ સ્ટેશનના એસએચઓએ જણાવ્યુ કે આ મામલે કલમ 507 અને આઈટી એક્ટ 66 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
