પીએમ હાઉસમાં નહિ, પરિસરમાં જ આવેલ એસપીજીના રિસેપ્શનમાં લાગી આગ
પીએમ હાઉસમાં નહિ, પરિસરમાં જ આવેલ એસપીજીના રિસેપ્શનમાં લાગી આગ
નવી દિલ્હીઃ પીએમના સત્તાવાર આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પાસે સોમવારે સાંજે એસપીજીના રિશેપ્સનમાં આગ લાગી ગઈ. પહેલા અહેવાલ આવ્યા હતા કે પીએમ આવાસમાં આગ લાગી પરંતુ પીએમઓએ ટ્વીટ કરીને જાણકારી આપી કે આગ પીએમ આવાસ પાસે આવેલ એસપીજીના રિસેપ્શનમાં યૂપીએસની બેટરીમાં લાગી હતી. પરંતુ આ વિસ્તાર પીએમના સત્તાવાર નિવાસની અંદર જ આવે છે. ઘટના સાંજે 7.25ની આસપાસ લાગી હતી.

મળેલી જાણકારી મુજબ આગ ઓલવવા માટે 17 ગાડીઓ અને 4 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મીડિયામાં ચાલી રહેલ અહેવાલો મુજબ આગ લાગવાની ઘટના ગંભીર નથી. પીએમ આવાસ 7 એલકેએમ માર્ગના રસ્તાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ફાયર ટેન્ડર્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. હજી સુધી આગ લાગવાના કારણો જાણી શકાયાં નથી.
More From
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
