ઈન્ડિયન નેવીની વૉરશિપ INS વિશાખાપટ્ટનમ પર લાગી આગ, એકનું મોત
ઈન્ડિયન નેવીની વૉરશિપ INS વિશાખાપટ્ટનમ પર શુક્રવારે સાંજે લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે.
ઈન્ડિયન નેવીની વૉરશિપ INS વિશાખાપટ્ટનમ પર શુક્રવારે સાંજે લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. આગ જહાજના બીજા અને ત્રીજા ડેક પર લાગી હતી. આ વૉરશિપનું નિર્માણકાર્ય હાલમાં સાઉથ મુંબઈના મંઝગાંવ ડૉકયાર્ડમાં ચાલી રહ્યુ છે. જે વ્યક્તિનું મોત નીપજ્યુ છે તેની ઓળખ મજૂર તરીકે થઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે તેનુ મોત કદાચ શ્વાસ રૂંધાવાના કારણે થયુ છે.

અપાયા તપાસના આદેશ
આગ લાગવાની ઘટના શુક્રવારની સાંજે પાંચ વાગીને 44 મિનિટે થઈ છે. ઈન્ડિયન નેવીએ આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. આગ લાગ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ અને ક્વિક રિસ્પોન્સ વેહીકલને ઘટના સ્થળ માટે રવાના કરવામાં આવ્યા. આગ કેમ લાગી તેની જાણ ઈન્ક્વાયરી પૂરી થયા બાદ જ થઈ શકશે. ફાયર બ્રિગેડના પ્રમુખ પીએસ રહાનગ્દલેએ જણાવ્યુ, 'નિર્માણાધીન યુદ્ધપોત વિશાખાપટ્ટનમ પર સાંજે 5:44 મિનિટે આગ લાગી. જોતજોતામાં આગ જહાજના બીજા ડેક સુધી પહોંચી કગઈ. આનો ધૂમાડો આખા જહાજ પર ફેલાઈ ગયો.' આની પહેલા 28 એપ્રિલે ઈન્ડિયન નેવીની વૉરશિપ INS વિક્રમાદિત્ય પર પણ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં આગને બુઝાવવામાં લેફ્ટનન્ટ કમાંડર ડીએસ ચૌહાણ શહીદ થઈ ગયા હતા.












Click it and Unblock the Notifications
