For Daily Alerts
PM કાર્યાલયમાં મોડી રાતે લાગી ભીષણ આગ, હાલ સ્થિતિ કાબુમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના પીએમઓ કાર્યાલયમાં ગત મોડી રાતે લાગી ભીષણ આગ. ફાયર બ્રિગ્રેડની 10 ગાડીઓએ 20 મિનિટમાં આગ પર મેળવ્યો કાબુ. પણ આ આગ વિષે વધુ જાણો અહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં સોમવારે મોડી રાતે આગ લાગી હતી. રૂમ નંબર 242માં આ આગ લાગી હતી જે વડાપ્રધાન કાર્યલયના બીજા માળ પર આવેલું છે. જાણકારી મુજબ સવારના 3:35 આ આગ લાગી હતી. જેની પર ફાયર વિભાગે નિયંત્રણ મેળવી લીધું છે. ફાયર બ્રિગ્રેડએ આગ લાગ્યાના 20 મિનિટની અંદર આગ પર કાબુ મેળવી લીધો હતો. આ માટે 10 જેટલી ફાયર બ્રિગ્રેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને સંભાળી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે આવું ભાગ્યે જ બનતું હોય છે કે પીએમના કાર્યાલયમાં આગ લાગી હોય. ત્યારે આ આગ કયા કારણોથી લાગી હતી તે જાણી નથી શકાયું. હાલ આ આગ લાગ્યા પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. અને તે અંગે ગૃહમંત્રાલયને પણ જાણકારી આપવામાં આવશે. સાથે જ આમાં કોઇને ઇજા નથી થઇ. પણ નુક્શાન અંગે પણ જાણકારી પ્રાપ્ત નથી થઇ.
Comments
English summary
Fire broke out at PM Office in room no 242 situation under control.
Story first published: Tuesday, October 17, 2017, 9:25 [IST]