INS વિક્રમાદિત્ય પર લાગી આગ, ઈન્ડિયન નેવીનો એક ઑફિસર શહીદ
INS વિક્રમાદિત્ય પર લાગી આગ, ઈન્ડિયન નેવીનો એક ઑફિસર શહીદ
કારવારઃ કર્ણાટકના કારવારથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અહીં પર એક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્ય પર આગ લાગવાના કારણે લેફ્ટિનેન્ટ કમાન્ડર રેંકના એક ઑફિસર શહીદ થયા છે. આ ઘટના શુક્રવારે એવા સમયે સામે આવી જ્યારે આઈએનએસ વિક્રમાદિત્ય બંદરગાહ પર દાખલ થઈ રહી હતી. થોડી મિનિટો બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો અને વૉરશિપને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.

વર્ષ 2014માં બન્યા નેવીનો ભાગ
આ ઘટનામાં લેફ્ટિનેન્ટ કમાન્ડર દેવેશ ચૌહાણ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ઘટના કેમ બની તેની તપાસ માટે બોર્ડ ઑફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. નેવી તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લેફ્ટિનેન્ટ કમાન્ડર ચૌહાણે બહાદુરીથી ફાયરફાઈટર્સને લીડ કર્યા. તેમના કારણે જ આગ પર કબૂ મેળવી શકાયો. ધૂમાડાના કારણે તેઓ બેભાન થઈ ગયા. તેમને નેવીના હોસ્પિટલ આઈએનએચએસ પતંજલિ લઈ જવામાં આવ્યા અને તેમને બચાવવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ ત્યાં સુધીમાં તેઓએ શ્વાસ છોડી દીધો હતો. આઈએનએસ વિક્રમાદિત્યને આઈએનએસ ગોર્શકોવના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતથી પહેલા રશિયાએ 1987માં તેને બાકૂના નામથી કમીશન્ડ કર્યા હતા. 2.35 બિલિયન ડોલર્સની ડીલ સાથે ભારતે આ એરક્રાફ્ટને રશિયા પાસેથી ખરીદ્યું છે. આઈએનએસ વિક્રમાદિત્યને ભારતે 20 જાન્યુઆરી 2004માં ખરીદ્યું હતું. આ શિપે જુલાઈ 2013માં પોતાની તમામ ટ્રાયલ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી હતી. 16 નવેમ્બર 2013ના રોજ સેવેરોડવિંસ્ક, રશિયામાં થયેલ એક સમારોહમાં આ ઔપચારિક રીતે ઈન્ડિયન નેવીનો ભાગ બની ગઈ. વર્ષ 2014માં આ સત્તાવાર રીતે ઈન્ડિયન નેવીનો ભાગ બની હતી. તેનું બેઝ કર્ણાટકનો કારવાર જિલ્લો છે.
આ પણ વાંચો- છત્તીસગઢના મુખ્યમંત્રીએ અક્ષય કુમાર પર સાધ્યું નિશાન- કહ્યું તે ભારતીય પણ નથી
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
