ભાજપા નેતા મનોજ તિવારી પર સળગતો ફટાકડો ફેંક્યો, માંડ બચ્યા
દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનો જીવ માંડ માંડ બચ્યો છે. ગાંધી સંકલ્પ યાત્રા દરમિયાન અજાણ્યા લોકોએ તેમના પર ફટાકડા ફેંકી દીધા હતા.
દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનો જીવ માંડ માંડ બચ્યો છે. ગાંધી સંકલ્પ યાત્રા દરમિયાન અજાણ્યા લોકોએ તેમના પર ફટાકડા ફેંકી દીધા હતા. તેની સાથે ઉભા રહેલા ભાજપના નેતાનો કુર્તા ફટાકડાને કારણે સળગી ગયો હતો અને હાથને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ મનોજ તિવારી બીજા પાર્ટી નેતાઓ સાથે કારોવલ નગરમાં ગાંધી સંકલ્પ યાત્રા કાઢી રહ્યા હતા ત્યારે કોઈએ તેમના પર સળગતો ફટાકડો ફેંકી દીધો.
રાત્રીના આઠ વાગ્યાની આસપાસ, જ્યારે તિવારી અને અન્ય નેતાઓ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે કોઈએ તેમના પર ફટાકડા ફોડ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઘટના અંગે મનોજ તિવારીએ જણાવ્યું હતું કે ફટાકડા મારા અને અમારા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ બિષ્ટ ઉપર પડ્યા હતા. હું કોઈક રીતે બચી ગયો, પણ બિષ્ટને હાથમાં ઈજા થઈ અને તેનો શર્ટ બળી ગયો.
આ મામલે ભાજપે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 285 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. વિસ્તારમાં સ્થાપિત સીસીટીવી ફૂટેજ શોધવામાં આવી રહ્યા છે. આ સંકલ્પ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ દિલ્હીની શાસક આમ આદમી પાર્ટી પર રાજ્યના સંસાધનોનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને સતાવી રહ્યો છે હારનો ડર, શું દિલ્હીમાં પત્તુ સાફ થશે?