ખોટા મુહૂર્તમાં નરેન્દ્ર મોદીએ લીધી શપથ, જાણો શું થશે નુકસાન

જ્યોતિષિનું માનીએ તો નરેન્દ્ર મોદી સરકાર પહેલાં 47 દિવસ દેશ માટે સારા કષ્ટકારી થવાના છે. હરિદ્વારના જ્યોતિષ પંડિત દયાનંદ શાસ્ત્રીનું માનીએ તોમોદી સરકારના શરૂઆતી દિવસોમાં દેશના કોઇ ભાગમાં મોટો બોમ્બ ધમાકો, ભૂકંપ, જોરદાર આંધીથી મોટું નુકસાન થવાની આશંકા છે. આ દરમિયાન સેંસેક્સ 1500 અંક સુધી નીચે જઇ શકે છે. એટલું જ નહી પ્લેન ક્રેશ થવાની આશંકા છે.
મોદીના શપથનું મુહૂર્ત બરોબર ન હતું
મોદીના શપથની સમય 6:10 પર થઇ અને 6:12 વાગે તેમણે સહી કરી.
મુંડેજીએ 10મા ક્રમે શપથ 6:30 વાગે લીધી 6:32 વાગે સહી કરી.
આ દરમિયાન વૃશ્વિક લગ્ન હતો અને નક્ષત્ર ભરણી દ્રિતીય ચરણમાં હતો અને તિથિ ત્રિયોદશી હતી. પંડિત દયાનંદ શાસ્ત્રીના અનુસાર તે સમયના ગ્રહોને વેધને જોતાં આ શપથ સમય યોગ્ય ન હતો. તે વખતે મોટાભાગના ગ્રહ વેધને પ્રાપ્ત હતા, જો કે તેને ઠીક ન કહેવામાં આવે. આ મુહૂર્ત શ્રેષ્ઠતમ વિદ્વાનો દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું હતું, પરંતુ આ મુહૂર્તને સર્વશ્રેષ્ઠ કહેવું યોગ્ય નથી.
નક્ષત્રના પોતાના પ્રભાવ હોય છે. તે સમયે ઉદિત લગ્નનો પોતાનો પ્રભાવ હતો. જો નરેન્દ્ર મોદી સમય પહેલાં શપથ લેતાં તે આ લગ્નને વેધથી બચી શકાતું હતું.












Click it and Unblock the Notifications
