કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના ચાર નહીં પાચ દાવેદાર
બેંગ્લોર, 8 મેઃ કર્ણાટકમાં કોંગ્રેસે 121 બેઠકો પર શાનદાર જીત નોંધાવી છે. આ જીત બાદ તુરત જ એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, રાજ્યનું મુખ્યમંત્રી પદ કોના ફાળે આવશે. જો કે આ સમયે એક નહીં પણ પાંચ-પાંચ નામ આ પદમાટે ચર્ચામાં છે. તો ચાલો એ પાંચ નામ અંગે જાણીએ.

ડો. પરમેશ્વરા કોંગ્રેસના અધ્યક્ષ છે અને તેમે છેલ્લા પાંચ વર્ષોમાં પાર્ટીને એક સંગઠનના રૂપમાં ઘણી જ મજબૂત કરી છે. તેમમે પાર્ટીને એક નવી દિશા આપી અને ખાસ કરીને યુવાઓને જોડ્યા. તેમના નેતૃત્વમાં પાર્ટીએ ઘણી બેઠકો પર ભાજપના ઉમેદવારોને માત આપી છે.
2. મલ્લિકાર્જુન ખાર્ગે
મલ્લિકાર્જુન ખાર્ગે સાંસદ છે અને આ સમયે તે કેન્દ્રમાં શ્રણ મંત્રાલય સંભાળી રહ્યાં છે. તેમનું રાજ્ય કોંગ્રેસમાં ઘણું જ વર્ચસ્વ છે. સાથે જ તેમને સોનિયા ગાંધીના ખાસ માનવામાં આવે છ
3. વીરપ્પા મોઇલી
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીનું નામ સીએમ પદ માટે ઘણું ચર્ચામાં છે, કારણ કે મોઇલીનો ચહેરો ઉત્તર ભારત સુધીના લોકો જાણે છે અને તે રાષ્ટ્રીય સ્તરના નેતા છે, તેથી તેમને સીએમ બનાવવાથી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ફાઇદો થઇ શકે છે.
4. સિદ્ધા રમૈયા
પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધા રમૈયા ફરી એકવાર સીએમ પદની લાઇનમાં છે. આ વાત તેમણે જાતે જ કહીં છે. જ્યારે ચૂંટી જીત્યા બાદ તેઓએ મીડિયા સાથે વાતચીત કરી ત્યારે તેમણે આ વાત જણાવી હતી.
5. શામનૂર શિવશંકરપ્પા
શામનૂર શિવશંકરપ્પાનું નામ આ પદ માટે એટલા માટે લેવામાં આવી રહ્યું છે કે, તે એ વ્યક્તિ છે, જેમના કારણે કોંગ્રેસને લિંગાયત વોટ મળ્યા છે. એ જ વોટ જેના પર બીએસ યેદિયુરપ્પા ઘમંડ કરતા હતા.












Click it and Unblock the Notifications
