Fodder Scam : લાલુ પ્રસાદને CBI કોર્ટ ગુરૂવારે સજા જાહેર કરશે
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌંભાડ મામલે કોર્ટ ગુરૂવારે સજા સંભળાવશે. તેમને 3 જાન્યુઆરી બુધવારના સજા જાહેર કરવાની હતી, જે ગુરૂવારે થશે. આ અંગે વધુ વાંચો અહી.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌંભાડ મામલે કોર્ટ ગુરૂવારે સજા સંભળાવશે. નોંધનીય છે કે, કોર્ટ દ્વાર તેમને 3 જાન્યુઆરીના રોજ સજા જાહેર કરવામાં આવવાની હતી, પરંતુ કોઇક કારણોસર હવે તેમને ગુરૂવારના રોજ સજા સંભળાવવામાં આવશે. બુધવારના રોજ લાલુ પ્રસાદ યાદવ સીબીઆઇ કોર્ટ જવા માટે જેલથી નીકળ્યા ત્યારે તેમના સમર્થકો મોટી સંખ્યામાં જેલની બહાર હતા. તેઓ જ્ચારે કોર્ટ પહોંચ્યા ત્યારે તેમના પરિવારમાંથી કોઈ પણ સભ્ય ત્યા હાજર ન હતું. તેમને હવે આવતી કાલે એટલે કે ગુરૂવારના રોજ સીબીઆઇની કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઇ કોર્ટે લાલુ પ્રસાદને 23 ડિસેમ્બરના રોજ ઘાસચારા ગોટાળામાં દોષી જાહેર કર્યા હતા. તેમને કલમ 420, 120, અને 13(2)અંતર્ગત દોષી જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે લાલુ પ્રસાદ યાદવને ઓછામાં ઓછી સજા થાય એ માટે વકીલ દ્વારા અરજી કરવામાં આવશે. તો બીજી બાજુ સીબીઆઈના વકીલ દ્વારા ભ્રષ્ટાચારના ગુનાને ધ્યાનમાં રાખીને લાલુ પ્રસાદ યાદવને વધુમાં વધુ સજા થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
