લાલુ યાદવ અને જગદીશ શર્માનું લોકસભા સભ્યપદ ખતમ
નવી દિલ્હી, 22 ઓક્ટોબર : ચારા કૌભાંડ મામલે જેલની સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને લોકસભાએ સભ્યપદ માટે અયોગ્ય એટલેકે ગેરલાયક ઠેરવ્યા છે. આ કૌભાંડના અન્ય દોષિત જનતાદળ યુનાઇટેડના સાંસદ જગદીશ શર્માનું સભ્યપદ પણ ખતમ કરવામાં આવ્યું છે.
રાંચીની ખાસ અદાલતે ચારા કૌભાંડના મામલામાં લાલુને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જગદીશ શર્માને ચાર વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

લાલુ પ્રસાદ અને 44 અન્ય લોકોને ચાઇબાસા કોષાગારમાંથી 1990ના દાયકામાં 37.7 કરોડ રૂપિયા નિકાળવાના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. તે સમયે ચાઇબાસા અવિભાજિત બિહારનો એક ભાગ હતું.
ચાઇબાસા કોષાગારમાં નકલી બિલ આપીને 37.7 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ ત્યારે બહાર આવ્યું જ્યારે લાલુ પ્રસાદ યાદવે ધ્રુવ ભગત અને જગદીશ શર્માની સભ્યતાવાળી વિધાનસબા સમિતીને તેની તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.
આ કેસમાં શિવાનંદ તિવારી, સરયૂ રોય, રાજીવ રંજન સિંહ અને રવિશંકર પ્રસાદે પટણા હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી હતી. પટણા હાઇકોર્ટે 11 માર્ચ, 1996ના રોજ 950 કરોડ રૂપિયાના કથિત ચારા કૌભાંડના મામલાની તપાસ સીબીઆઇને સોંપવાનો આદેશ આપ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
